Jul 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-18-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-18


Gujarati-Ramayan-Rahasya-17-ગુજરાતી-રામાયણ-રહસ્ય-17

ભાગવતમાં પ્રહલાદજીએ બતાવ્યું છે કે-માતા-પિતા રામનામની મનાઈ કરે તો એમની આજ્ઞાનો પણ સવિનય ભંગ કરવો.મીરાંબાઈને ચિત્તોડનું રાજકુટુંબ ભગવાન ભજન કરવામાં અનેક રીતે પીડતું હતું. મીરાબાઈએ પત્ર લખી ને તુલસીદાસજીની સલાહ માગી,ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે-સીતા-રામની ભક્તિ ખાતર ગમે તેવાં સગાં-વહાલાંનો પણ ત્યાગ કરવો.“ જાકે પ્રિય ન રામ બૈદેહી તજીએ તાહિ બૈરી સમ,જદ્યપિ પરમ સનેહી.” મીરાબાઈએ તે સલાહનો અમલ કર્યો તો તેમને રામ-રતન ધનની પ્રાપ્તિ થઇ.અને ગાયું કે-“પાયોજી મૈને રામ રતન ધન પાયો”

Jul 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-17-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-17


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-16-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-16


Gujarati-Ramayan-Rahasya-16-ગુજરાતી-રામાયણ-રહસ્ય-16

સુધરવાનું આપણા હાથમાં જ છે.બહારનું કોઈ આવી આપણને સુધારતું નથી કે બગાડતું નથી.અંદર ભેગો થયેલો કચરો જ મનુષ્યને બગાડે છે.બાકી મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. 'ઉદ્ધરેદાત્મનાત્માનમ.' પોતે જ (આત્મા વડે) પોતાનો (આત્માનો) ઉદ્ધાર કરવો .એમ ગીતાજીમાં લખ્યું છે.તે માટે જપ એ મોટું એક સાધન છે.કળિયુગમાં યોગ-સાધના વિકટ બની ગઈ છે.તેવે વખતે જપ-યજ્ઞ એ જ મોટો ભેરુ (મિત્ર) છે.