Aug 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Full PDF-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-Full PDF


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-31-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-31


Gujarati-Ramayan-Rahasya-32-ગુજરાતી-રામાયણ-રહસ્ય-32

તુલસીદાસજીએ રામાયણનું સર્વ “તત્વ” ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે.ભક્ત કોણ? તો કહે છે કે જે પ્રભુથી એક પળ પણ વિભક્ત ના થાય તે.
કાક-ભુશંડી અને ગરુડના સંવાદમાં જ્ઞાન અને ભક્તિનો મધુર સમન્વય કર્યો છે.સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મની તેમાં સુંદર ચર્ચા કરેલી છે,અને વારંવાર વાંચવા જેવો છે.

Aug 2, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-30-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-30


Gujarati-Ramayan-Rahasya-31-ગુજરાતી-રામાયણ-રહસ્ય-31

અરણ્યકાંડ પછી આવે છે કિષ્કિંધાકાંડ.અરણ્યકાંડમાં વાસનાનો વિનાશ કર્યો.પછી કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ-રામની મૈત્રી થાય છે.કામની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહિ ત્યાં સુધી રામની દોસ્તી થતી નથી.સુગ્રીવ અને રામની મૈત્રીની (જીવ અને ઈશ્વરના મિલનની) કથા આ કાંડમાં છે.સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા. જીવ અને ઈશ્વરનું મિલન ત્યારે થાય કે હનુમાનજી (બ્રહ્મચર્ય) મધ્યસ્થી બને.હનુમાનજી ટેકો કરે.
હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતિક છે.સુગ્રીવ એટલે કે જેનો કંઠ (ગ્રીવા) સારો છે તે. કંઠની શોભા આભૂષણોથી નથી,પણ,બ્રહ્મચર્યથી અને રામનામથી છે.