Aug 9, 2021
Gujarati-Ramayan-Rahasya-38-ગુજરાતી-રામાયણ-રહસ્ય-38
ભગવાને હસીને આનંદથી નારદના શાપને માથે ચડાવ્યો,અને જેવી પોતાની માયા પાછી ખેંચી લીધી કે તરત જ નારદજી ભાનમાં આવ્યા.પોતાની ભૂલનું ભાન થતા ભયભીત થઇ ભગવાનના ચરણમાં પડી ગયા.અને બોલ્યા કે- તમારે શરણે આવ્યો છું,મારી રક્ષા કરો,મારો શાપ મિથ્યા થાઓ.ત્યારે ભગવાને કહ્યું કે-આ બધું મારી ઈચ્છાથી જ બન્યું છે,તમારે ચિંતા કરવાની જરૂર નથી.
Aug 8, 2021
Gujarati-Ramayan-Rahasya-37-ગુજરાતી-રામાયણ-રહસ્ય-37
ભગવાન શંકર પાર્વતીજીને આ કથા કહે છે,
પાર્વતીજી પૂછે છે કે-ભગવાનને શ્રીરામ તરીકે અવતાર લેવાનું કારણ શું?
ત્યારે ભગવાન શંકર કહે છે કે-રામજીને અવતાર લેવાનાં અનેક કારણો છે.એક કારણ એ છે કે-એક વખત નારદજીએ ભગવાનને શાપ દીધો હતો.જેના લીધે ભગવાનને અવતાર લેવો પડ્યો.આ સાંભળી પાર્વતીજીને નવાઈ લાગી.નારદ તો ભગવાનના ભક્ત
પાર્વતીજી પૂછે છે કે-ભગવાનને શ્રીરામ તરીકે અવતાર લેવાનું કારણ શું?
ત્યારે ભગવાન શંકર કહે છે કે-રામજીને અવતાર લેવાનાં અનેક કારણો છે.એક કારણ એ છે કે-એક વખત નારદજીએ ભગવાનને શાપ દીધો હતો.જેના લીધે ભગવાનને અવતાર લેવો પડ્યો.આ સાંભળી પાર્વતીજીને નવાઈ લાગી.નારદ તો ભગવાનના ભક્ત
અને તે જ ભગવાનને શાપ આપે એવું કેમ બને ? નારદજી શું મૂર્ખ છે ?
ત્યારે શંકર કહે છે કે-કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂર્ખ નથી.ભગવાન જે ક્ષણે જેને જેવો કરે છે તેવો તે બને છે.
'બોલે બિહસી મહેશ તબ,ગ્યાની મૂઢ ના કોઈ,જે હિ જાસ રઘુપતિ કરહિ,જબ,સો તાસ તેહી છન હોઈ'
'બોલે બિહસી મહેશ તબ,ગ્યાની મૂઢ ના કોઈ,જે હિ જાસ રઘુપતિ કરહિ,જબ,સો તાસ તેહી છન હોઈ'
Aug 7, 2021
Subscribe to:
Posts (Atom)