Aug 11, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-7


Gujarati-Ramayan-Rahasya-40-ગુજરાતી-રામાયણ-રહસ્ય-40

રાવણનો જન્મ પુલસ્ત્યઋષિના નિર્મળ ખાનદાનમાં થયો હતો.
રાવણ,કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણે ભાઈઓએ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી કે –બ્રહ્માજીએ પ્રસન્ન થઇ,તેમને વરદાન માગવાનું કહ્યું.રાવણે એ વિષે વિચાર કરી જ રાખ્યો હતો.
તેને “કોઈ મારી શકે નહિ” એવું વરદાન જોઈતું હતું.પણ “કોઈ” એટલે કે તેમાં દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ,મનુષ્યો અને પ્રાણીઓ પણ આવી જાય.પણ રાવણ તો મનુષ્યો અને પ્રાણીઓ (વાનર)વગેરે ને “કોઈ”માં ગણવા તૈયાર હતો નહિ,તેનું અભિમાન એમ કહેતું હતું કે –મનુષ્યો અને પ્રાણીઓ તો તેને મારી શકે જ નહિ.

Aug 10, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-6


Gujarati-Ramayan-Rahasya-39-ગુજરાતી-રામાયણ-રહસ્ય-39

દરેક મનુષ્યને રૂપિયાનો મોહ છે પણ જો તેના હાથમાં ખોટો રૂપિયો આપવામાં આવશે તો લેશે નહિ.આ બતાવે છે કે-દરેક ને રૂપિયાનો મોહ છે પણ ખોટા રૂપિયાનો મોહ નથી.તેમ આ ખોટા (અસત્ય-મિથ્યા) સંસાર પર મોહ કરવા જેવો નથી.જગતના જીવોના મિલનમાં સુખ થાય છે પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે.જ્યાં મિલન છે ત્યાં વિયોગ લખાયેલો જ છે.મિલનનું સુખ સ્થાયી નથી,માટે જગતના જીવો પર દિલ ચોંટાડવા જેવું નથી.