કોશલ દેશની રાજધાની અયોધ્યાનું વાલ્મીકિએ બહુ સુંદર વર્ણન કર્યું છે.
અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશ (રધુ વંશ)ના રાજા દશરથનું રાજ્ય હતું.દશરથ રાજા ધર્મનિષ્ઠ હતા અને પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા.અયોધ્યાના લોકો પણ સદાચારી અને ધર્મપ્રેમી હતા.
શિવજીનો મહેલ બની ગયો પણ વાસ્તુ-પૂજા કર્યા વગર મહેલમાં તો રહેવા જવાય નહિ.વાસ્તુપૂજા કોણ કરે ?પૂજા કરનારો વિદ્વાન અને શિવભક્ત જોઈએ.અને આવો એક જણ હતો તે –રાવણ.શિવજીએ તેને વાસ્તુ-પૂજન કરવા બોલાવ્યો.પૂજન પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે.શિવજીએ કહ્યું કે-દિલ ચાહે તે દક્ષિણામાં માગી લે.