| સંત જ્ઞાનેશ્વર |
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 14, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧-અધ્યાય-1-Gita Rahasya-Gnaneshvari-1-Adhyaya-1
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-646
અધ્યાય-૯-વિશ્વરૂપનો વધ
II युधिष्ठिर उवाच II कथमिंद्रेण राजेन्द्र सभार्येण महात्मना I दुःखं प्राप्तं परं घोरमेतदिच्छामि वेदितुम II १ II
યુધિષ્ઠિરે પૂછ્યું-હે રાજેન્દ્ર,મહાત્મા ઇન્દ્રને તથા તેની ભાર્યાને કેવી રીતે
મહાભયંકર દુઃખ પ્રાપ્ત થયું હતું? તે જાણવાની હું ઈચ્છા રાખું છું.
શલ્ય બોલ્યો-આ સંબંધમાં એક પુરાતન ઇતિહાસ તમે સાંભળો.પૂર્વે દેવોમાં શ્રેષ્ઠ એવા મહાતપસ્વી ત્વષ્ટા નામના પ્રજાપતિ હતા.તેમણે ઇન્દ્ર પ્રતિ દ્રોહથી વિશ્વરૂપ નામનો ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો હતો.કે જે વિશ્વરૂપ ઇન્દ્રપદની ઈચ્છા કરતો હતો.તેનાં સૂર્ય,ચંદ્ર અને અગ્નિના જેવાં ત્રણ મુખો હતાં.એક મુખથી તે વેદ ભણતો હતો,બીજા મુખથી તે મદિરાપાન કરતો હતો અને ત્રીજા મુખથી તે સર્વ દિશાઓને પી જતો હોય તેમ જોતો હતો.
Oct 13, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-645
અધ્યાય-૮-દુર્યોધને શલ્યને પોતાના પક્ષમાં લીધો
II वैशंपायन उवाच II शल्यः श्रुत्वा तु दूतानां सैन्येन महता वृतः I अभ्ययात्पांडवान राजन सः पुत्रैर्महारथैः II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજા,દૂતોનો સંદેશો સાંભળીને શલ્ય રાજા પોતાના મહારથી પુત્રોની સાથે મોટા સૈન્યથી વીંટળાઈને પાંડવોની પાસે આવવા નીકળ્યો.મહાપરાક્રમી અને અક્ષૌહિણી સેનાનો સ્વામી મદ્રરાજ શલ્ય રાજા એટલી મોટી સેના રાખતો હતો કે તેની સેનાનો પડાવ છ ગાઉ સુધી પડતો હતો.સેનાને વિશ્રાંતિ આપતો આપતો તે ધીરેધીરે યુધિષ્ઠિર રાજા હતા ત્યાં જવા લાગ્યો.(આ મદ્રરાજ શલ્યરાજા નકુલ-સહદેવનો મામો હતો)
Oct 12, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-644
અધ્યાય-૭-દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયા
II वैशंपायन उवाच II पुरोहितं ते प्रस्थाप्य नगरं नागसाहवयम् I दुतानप्र्स्थापयामासु: पार्थिवेभ्यस्ततस्तत II १ II
વૈશંપાયન બોલ્યા-એ પ્રમાણે દૂતને હસ્તિનાપુર મોકલ્યા પછી,પાંડવોએ ઠામઠામના રાજાઓની પાસે દૂતો મોકલ્યા.પછી,શ્રીકૃષ્ણને બોલાવવા અર્જુન પોતે જ દ્વારકા ગયો.તે જ દિવસે દુર્યોધન પણ દ્વારકા ગયો હતો.
બંનેએ એક જ વખતે દ્વારકામાં શ્રીકૃષ્ણના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હતા.પ્રથમ દુર્યોધને પ્રવેશ કર્યો અને શ્રીકૃષ્ણના ઓસીકા તરફના મુખ્ય આસન પર બેઠો.અર્જુને પાછળથી પ્રવેશ કર્યો અને બે હાથ જોડીને નમ્ર બનીને શ્રીકૃષ્ણના પગ આગળ ઉભો રહ્યો.
Oct 11, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-643
અધ્યાય-૬-દ્રુપદે પુરોહિતને હસ્તિનાપુર મોકલ્યો
II द्रुपद उवाच II भूतानां प्राणिनः श्रेष्ठाः प्राणिनां बुद्धिजीवनः I बुद्धिमत्सु नराः श्रेष्ठा नरेश्वपि द्विजातयः II १ II
દ્રુપદે પુરોહિતને કહ્યું-ચરાચર ભૂતોમાં પ્રાણીઓ શ્રેષ્ઠ છે,પ્રાણીઓમાં બુદ્ધિવાળાં શ્રેષ્ઠ છે,બુદ્ધિમાનોમાં મનુષ્યો શ્રેષ્ઠ છે,મનુષ્યોમાં દ્વિજો શ્રેષ્ઠ છે,દ્વિજોમાં વિદ્વાનો શ્રેષ્ઠ છે,વિદ્વાનોમાં સિદ્ધાંતવેત્તાઓ શ્રેષ્ઠ છે,સિદ્ધાંતવેત્તાઓમાં તે પ્રમાણે આચરણ કરનારા શ્રેષ્ઠ છે અને આચરણ કરનારાઓમાં બ્રહ્મવાદીઓ શ્રેષ્ઠ છે.હું માનું છું કે તમે સિદ્ધાંતવેત્તાઓમાં મુખ્ય છો.કુળ,વય અને શાસ્ત્રથી યુક્ત છો,બુદ્ધિમાં શુક્રાચાર્ય અને બૃહસ્પતિના જેવા છો.
Oct 10, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-642
અધ્યાય-૫-શ્રીકૃષ્ણ સલાહ આપીને દ્વારકા ગયા
II वासुदेव उवाच II उपपन्नमिदं वाक्यं सोमकानां धुरन्धरे I अर्थसिध्धि करं राज्ञः पांडवस्यामितौजसः II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-સોમકવંશના ધુરંધર દ્રુપદરાજાએ જે ભાષણ કર્યું તે યોગ્ય છે એ ભાષણ અમાપ બળવાળા યુધિષ્ઠિર રાજાના અર્થને સિદ્ધ કરનારું છે ને આપણે પ્રથમ એ પ્રમાણે જ કરવું જોઈએ કારણકે એથી ઉલટી રીતે કાર્ય કરનારો પુરુષ મહામૂર્ખ જ ગણાય.વળી,આપણને કૌરવો અને પાંડવો સાથે સરખા સંબંધ છે,માટે કૌરવો અને પાંડવો પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે જ ઠીક છે અર્થાંત તેમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી.