અધ્યાય-૩૫-વિદુરનીતિ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II ब्रुहि भूयो महाबुध्धे धर्मार्थसहितं वचः I शृण्वतो नास्ति मे तृप्तिर्विचित्रानीह भाषसे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાબુદ્ધિમાન વિદુર,તમે ફરીથી ધર્મ તથા અર્થયુક્ત વચન કહો,
કેમ કે મને તે સાંભળતાં તૃપ્તિ થતી નથી.
વિદુર બોલ્યા-સર્વ તીર્થોમાં સ્નાન કરવું અને પ્રાણીમાત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી,એ બંને સમાન છે,માટે હે રાજા,તમે કૌરવો અને પાંડવો ઉપર નિત્ય સમદ્રષ્ટિ રાખો.ને એમ વર્તવાથી તમે આ લોકમાં ઉત્તમ કીર્તિ પામીને સ્વર્ગમાં જશો.આ વિષયમાં કેશિનીને માટે વિરોચનનો,સુધન્વાની સાથે થયેલો સંવાદ ઉદાહરણ તરીકે કહેવાય છે.(5)