
શાણાને સેવનાર,વિદ્વાન,ધાર્મિક,આંખને પ્રિય લાગે એવો,મિત્રવાળો,અને મધુર વાણીવાળો જે સ્નેહી હોય તેનું પરિપાલન કરવું.
કુલીન હોય અકુલીન હોય પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી,ધર્મની અપેક્ષા રાખે છે,વૃત્તિ સરળ રાખે છે અને દુષ્કાર્યમાં લજ્જા રાખે છે તે સેંકડો કુલીનો કરતાં પણ શ્રેષ્ઠ છે.જે બે મિત્રોના મન સાથે મન,બુદ્ધિ સાથે બુદ્ધિ અને ગુપ્ત વિચાર સાથે ગુપ્ત વિચાર મળતા આવે છે તે બંનેની મિત્રતા ક્ષીણ થતી નથી.