હે ભારત,જીવ,એક નદી છે,તેમાં પુણ્ય,એ ઓવારો છે,બ્રહ્મ તેનું ઉત્પત્તિસ્થાન છે,ધૈર્ય કિનારા છે,દયા તેના તરંગ છે,તેમાં જે પુણ્યકર્મવાળો પુરુષ સ્નાન કરે (આત્મનિમગ્ન થાય) તે પવિત્ર થાય છે.લોભરહિત સ્થિતિ એ જ પુણ્ય છે.કામ-ક્રોધ-રૂપી મગરવાળી અને પાંચ ઇન્દ્રિય-રૂપી જળવાળી આ સંસારરૂપી નદીમાં ધૌર્યરૂપી નૌકાનો આશ્રય કરીને તમે જન્માદિ દુઃખોને તરી જાઓ.કયું કાર્ય કરવું ને કયું ન કરવું એ સંબંધમાં જે જ્ઞાનવૃદ્ધ,ધર્મવૃદ્ધ,વિદ્યાવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા પોતાના સંબંધીઓને માન આપીને પૂછે છે તે કોઈ દિવસ મૂંઝાતો નથી.(23)
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 17, 2024
Dec 16, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-692
અધ્યાય-૪૦-વિદુરનીતિ (ચાલુ)
II विदुर उवाच II योभ्यर्चित: सद्भिरसज्जमानः करोत्यर्थ शक्तिमहापयित्वा I क्षिप्रं यशस्तं समूपैति संतभलं प्रसन्ना हि सुखाय संतः II १ II
જે સજ્જનોથી માન પામ્યા છતાં અભિમાનરહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે તે ભલા માણસને તત્કાળ યશ પ્રાપ્ત થાય છે કારણકે પ્રસન્ન થયેલા સજ્જનો સુખ આપવા સમર્થ છે.જે મનુષ્ય બીજાઓથી અડચણ ન આવ્યા છતાં,અધર્મવાળા મોટા અર્થલાભનો પણ ત્યાગ કરે છે તે દુઃખોથી મુક્ત થઈને સુખે નિંદ્રા લે છે.અસત્ય બોલીને વિજય મેળવો,રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો એ બ્રહ્મહત્યા તુલ્ય છે.ઈર્ષા કરવી એ ખરેખર મૃત્યુ જ છે,વધારે પડતું બોલવું એ લક્ષ્મીનો નાશ કરે છે.ગુરુની સેવા ન કરવી,ઉતાવળ કરવી અને આત્મશ્લાઘા કરવી એ ત્રણ વિદ્યાના શત્રુ છે (4)
Dec 15, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-691
અગ્નિહોત્ર પાળવું-એ વેદાધ્યયનનું ફળ છે,સુશીલતા અને સદાચરણ એ શાસ્ત્રઅધ્યયનનું ફળ છે,રતિસુખ અને પુત્રપ્રાપ્તિ એ સ્ત્રી પરણ્યાનું ફળ છે અને દાન તથા ભોગ એ ધનનું ફળ છે.જે મનુષ્ય,અધર્મથી સંપાદન કરેલા ધન વડે,ભલે પરલોકના સાધનભૂત યજ્ઞ,દાન વગેરે કરે,પણ તે કુમાર્ગના ધનને લીધે તેનું ફળ તેને મળતું નથી.ઉદ્યોગ,ઇન્દ્રિયનિગ્રહ,
દક્ષતા,સાવધાની,ધૈર્ય,સ્મરણશક્તિ અને વિચારપૂર્વક કાર્યારંભ-એ ઐશ્વર્યનું કારણ છે.
તપસ્વીઓનું બળ તપ છે,બ્રહ્મવેત્તાઓનું બળ બ્રહ્મ છે,દુર્જનોનું બળ હિંસા છે ને ગુણવાનોનું બળ ક્ષમા છે.(70)
Dec 14, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-690
શાણાને સેવનાર,વિદ્વાન,ધાર્મિક,આંખને પ્રિય લાગે એવો,મિત્રવાળો,અને મધુર વાણીવાળો જે સ્નેહી હોય તેનું પરિપાલન કરવું.
કુલીન હોય અકુલીન હોય પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી,ધર્મની અપેક્ષા રાખે છે,વૃત્તિ સરળ રાખે છે અને દુષ્કાર્યમાં લજ્જા રાખે છે તે સેંકડો કુલીનો કરતાં પણ શ્રેષ્ઠ છે.જે બે મિત્રોના મન સાથે મન,બુદ્ધિ સાથે બુદ્ધિ અને ગુપ્ત વિચાર સાથે ગુપ્ત વિચાર મળતા આવે છે તે બંનેની મિત્રતા ક્ષીણ થતી નથી.
Dec 13, 2024
Vipasana (Vipasyana) in Gujarati-Easy Explaination
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-689
જે મનુષ્ય દરિદ્રી,દીન તથા દુઃખી એવા પોતાના જ્ઞાતિબંધુ પર કૃપા કરે છે તેમનું કુટુંબ વૃદ્ધિ પામે છે અને તે પરમ કલ્યાણ ભોગવે છે,માટે જેઓ શુભ ઇચ્છતા હોય તેઓએ ન્યાતિલાઓની વૃદ્ધિ કરવી.હે રાજન,માટે તમે પણ સારી રીતે કુળની વૃદ્ધિ થાય તેવું આચરણ કરો.જ્ઞાતિજનો ગુણરહિત હોય તો પણ તેઓનું રક્ષણ કરવું જોઈએ,ત્યારે પાંડવો તો ગુણસંપન્ન છે અને તમારી કૃપાની આકાંક્ષા કરનારા છે તો મારે કહેવું જ શું? હે રાજન,તમે પાંડવો પર કૃપા કરો,તેઓને જીવિકા માટે કેટલાંએક ગામો આપો,ને તેમ કરવાથી તમને યશ પ્રાપ્ત થશે.તમે વૃદ્ધ છો માટે તમારે પુત્રોને શિખામણ આપવી જોઈએ અને મારે પણ તમને હિત કહેવું જોઈએ.મને તમારો હિતૈષી જાણો.(22)
