સનત્સુજાત બોલ્યા-હે રાજન,ક્રોધાદિક બાર દોષો અને તેર નૃશંગનો વર્ગ એ કલ્મષ (કામ-આદિ વાળું) તપ છે.
અને દ્વિજોના જાણીતા એવા ધર્માદિક બાર ગુણો છે કે જે પિતૃઓના શાસ્ત્રમાં કહેલા છે (15)
ક્રોધ,કામ,લોભ,મોહ,વિધિત્સા(તૃષ્ણા),અકૃપા(નિર્દયતા),અસૂયા(પારકામાં દોષ જોવા),માન,શોક,સ્પૃહા,
ઈર્ષ્યા અને જુગુપ્સા આ બાર મનુષ્યના દોષો છે તે મનુષ્યોએ સદા ત્યાગ કરવા યોગ્ય છે (16)
પારધી જેમ મૃગોનો લાગ ખોળે છે તેમ,આ દોષોમાંનો એકેક દોષ મનુષ્યોના છિદ્રો ચોમેરથી ખોળવાની ઉપાસના કરે છે (17)