મદ ના ઉપર જણાવેલ અઢાર દોષો છે અને (આગળ દર્શાવેલ) છ પ્રકારનો ત્યાગ છે.તે ત્યાગના વિપર્યાસ રૂપે છ (બીજા)દોષો છે.આ છ દોષો અને ઉપરના અઢાર મળીને ચોવીસ દોષો મદ ના કહેલા છે.છ પ્રકારનો ત્યાગ અતિશ્રેષ્ઠ છે,પરંતુ તેમાં ત્રીજો ત્યાગ દુષ્કર છે કારણકે તે ત્યાગ કરવાથી દ્વૈતનો વિજય થાય છે ને તેથી (તે અનિર્વચનીય) પુરુષ દુઃખને તરી જાય છે.(27)
છ પ્રકારનો ત્યાગ આ પ્રમાણે છે.લક્ષ્મી કે વિદ્યા પ્રાપ્ત કરીને ગર્વ કરવો નહિ,નિત્ય વૈરાગ્યને લીધે ઇષ્ટ (યજ્ઞ-આદિ)
તથા પૂર્ત (તળાવો બંધાવવા-આદિ)કર્મોનો ત્યાગ અને ત્રીજો કામનાનો ત્યાગ (29)