અધ્યાય-૪૫-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)
II सनत्सुजात उवाच II शोकः क्रोधश्च लोभश्च कामो मानः परासुता I ईर्ष्या मोहो विधित्सा च कृपासूया जुगुप्सुता II १ II
સનત્સુજાત બોલ્યા-શોક,ક્રોધ,લોભ,કામ,માન,પરાસુતા(નિંદ્રાધીનપણું),ઈર્ષ્યા,મોહ,વિધિત્સા (કાર્ય કરવાની ઈચ્છા),કૃપા,
અસૂયા (ગુણમાં દોષનો આરોપ) ને જુગુપ્સતા(નિંદકપણું)-આ બાર મહાદોષો,મનુષ્યના પ્રાણને નાશ કરનારા છે.આમાંનો એકએક દોષ મનુષ્યોના આશ્રય માટે તેઓની ઉપાસના કર્યા કરે છે,કે જે દોષોથી વ્યાપ્ત થયેલો મૂઢ બુદ્ધિવાળો પુરુષ પાપકર્મ કરવા માંડે છે (2)લાલચુ,ઉગ્ર,પરુષ (કઠોર વાણીવાળો),વદાન્ય (બહુબોલો)મનમાં ક્રોધ રાખનારો અને બડાઈખોર-આ છ ક્રૂર ધર્મવાળા મનુષ્યો,સંપત્તિ પ્રાપ્ત થતાં પણ બીજાને માન આપતા નથી,પણ અપમાન આપે છે (3)
