Jan 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-705

 

સ્નેહના છ ગુણો જાણવા યોગ્ય છે.સ્નેહીનાં સુખથી સુખી થવું,દુઃખથી દુઃખી થવું,પોતાની ગમતી ને ન માગવા જેવી વસ્તુ પણ જો સ્નેહી માગે તો આપવી,પોતાના ઇષ્ટ વૈભવો,પુત્રો અને પોતાની સ્ત્રી પણ,યાચના કરેલ સ્નેહીને અર્પણ કરવા યોગ્ય છે.

જેણે પોતે સર્વસ્વ આપ્યું હોય,તેના ઘરમાં કામથી (એટલે મેં આના પર ઉપકાર કર્યો છે)એવી બુદ્ધિથી વાસ કરવો નહિ.

પોતા મેળવેલા ધનનો જ ઉપભોગ કરવો અને મિત્રના હિતને માટે પોતાનું હિત છોડી દેવું-આ છ સ્નેહના ગુણો છે (13)

Jan 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-704

 

અધ્યાય-૪૫-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II सनत्सुजात उवाच II शोकः क्रोधश्च लोभश्च कामो मानः परासुता I ईर्ष्या मोहो विधित्सा च कृपासूया जुगुप्सुता II १ II

સનત્સુજાત બોલ્યા-શોક,ક્રોધ,લોભ,કામ,માન,પરાસુતા(નિંદ્રાધીનપણું),ઈર્ષ્યા,મોહ,વિધિત્સા (કાર્ય કરવાની ઈચ્છા),કૃપા,

અસૂયા (ગુણમાં દોષનો આરોપ) ને જુગુપ્સતા(નિંદકપણું)-આ બાર મહાદોષો,મનુષ્યના પ્રાણને નાશ કરનારા છે.આમાંનો એકએક દોષ મનુષ્યોના આશ્રય માટે તેઓની ઉપાસના કર્યા કરે છે,કે જે દોષોથી વ્યાપ્ત થયેલો મૂઢ બુદ્ધિવાળો પુરુષ પાપકર્મ કરવા માંડે છે (2)લાલચુ,ઉગ્ર,પરુષ (કઠોર વાણીવાળો),વદાન્ય (બહુબોલો)મનમાં ક્રોધ રાખનારો અને બડાઈખોર-આ છ ક્રૂર ધર્મવાળા મનુષ્યો,સંપત્તિ પ્રાપ્ત થતાં પણ બીજાને માન આપતા નથી,પણ અપમાન આપે છે (3)

Jan 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-703

 

શિષ્ય,કાળે કરીને બુદ્ધિના પરિપાકથી એક પાદ મેળવે છે,એક પાદ ગુરુના સંબંધથી મેળવે છે,એક પાદ ઉત્સાહ યોગથી એટલે કે બુદ્ધિવૈભવથી મેળવે છે અને એક પાદ શાસ્ત્રથી એટલે કે સહાઘ્યાયીઓની સાથે વિચાર કરવાથી પ્રાપ્ત કરે છે (16)

ધર્માદિક બાર,જેનું સ્વરૂપ છે,આસન,પ્રાણ,જય વગેરે જેનાં અંગો છે અને યોગમાં નિત્ય તત્પરતા જેનું બળ છે,તે બ્રહ્મચર્ય આચાર્યના તથા વેદાર્થના સંબંધ વડે એટલે કે કર્મ તથા બ્રહ્મના સંબંધ વડે ફળીભૂત થાય છે (17)

Jan 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-702

 

અધ્યાય-૪૪-સનત્સુજાત ગીતા 


II धृतराष्ट्र उवाच II 

सनत्सुजात यामिमां परां त्वं ब्राह्मीं वाचं वदसे विश्वरूपां I परां हि कामेन सुदुर्लभां कथां प्रब्रूहि मे वाक्यमिदं कुमार II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સનત્સુજાત,પૂર્વે જે કથા કહી,તેનાથી ઉત્તમ,વિશ્વનો પ્રકાશ કરનારો અને બ્રહ્મને પમાડનારી ઉપનિષદવાણીને તમે જાણો છો,તો તમે તે અત્યંત દુર્લભ એવી કથા મને કહો,એવી મારી પ્રાર્થના છે.

સનત્સુજાત બોલ્યા-હે ધૃતરાષ્ટ્ર,તું અતિઆગ્રહ સાથે પ્રશ્ન કરીને હર્ષમાં આવી ગયો છે પણ એ બ્રહ્મ ઉતાવળ 

કરનારને પ્રાપ્ત થતું નથી.મન,બુદ્ધિમાં લીન થયા પછી,ચિંતનરહિત એવી જે કોઈ અવસ્થા છે તે વિદ્યા કહેવાય છે 

અને તે વિદ્યા બ્રહ્મચર્યથી પ્રાપ્ત થઇ શકે છે (2)

Jan 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-701

 

આત્મજ્ઞાનના અભાવને લીધે,સંકલ્પની સિદ્ધિ ન થાય તો દીક્ષિતવ્રત આચરવું.સત્પુરુષો તો સત્ય પરબ્રહ્મને જ શ્રેષ્ઠ માને છે.

જ્ઞાનનું ફળ પ્રત્યક્ષ છે અને તપનું ફળ પરોક્ષ હોય છે.જે દ્વિજ બહુ પઠન કરે તેને બહુપાઠી જાણવો.(48)

હે ક્ષત્રિય,તું કેવળ અધ્યયન વડે જ બ્રાહ્મણ માન નહિ,પણ જે સત્યથી ચલિત થાય નહિ તેને જ બ્રાહ્મણ માનવો (49)

Dec 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-700

 

મદ ના ઉપર જણાવેલ અઢાર દોષો છે અને (આગળ દર્શાવેલ) છ પ્રકારનો ત્યાગ છે.તે ત્યાગના વિપર્યાસ રૂપે છ (બીજા)દોષો છે.આ છ દોષો અને ઉપરના અઢાર મળીને ચોવીસ દોષો મદ ના કહેલા છે.છ પ્રકારનો ત્યાગ અતિશ્રેષ્ઠ છે,પરંતુ તેમાં ત્રીજો ત્યાગ દુષ્કર છે કારણકે તે ત્યાગ કરવાથી દ્વૈતનો વિજય થાય છે ને તેથી (તે અનિર્વચનીય) પુરુષ દુઃખને તરી જાય છે.(27)

છ પ્રકારનો ત્યાગ આ પ્રમાણે છે.લક્ષ્મી કે વિદ્યા પ્રાપ્ત કરીને ગર્વ કરવો નહિ,નિત્ય વૈરાગ્યને લીધે ઇષ્ટ (યજ્ઞ-આદિ)

તથા પૂર્ત (તળાવો બંધાવવા-આદિ)કર્મોનો ત્યાગ અને ત્રીજો કામનાનો ત્યાગ (29)