અધ્યાય-૪૯-ભીષ્મ તથા દ્રોણનાં વાક્યો
II वैशंपायन उवाच II समवेतेषु सर्वेषु तेषु राजसु भारत I दुर्योधनमिदं वाक्यं भीष्मः शान्तनवोब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,તે સર્વે રાજાઓ એકઠા મળ્યા હતા,તેમાં શાંતનુના પુત્ર ભીષ્મ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-
'પૂર્વે બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બ્રહ્મા પાસે ગયા હતા તે સમયે ઇન્દ્ર સહિત વાયુઓ,આદિત્યો,સપ્તર્ષિઓ-આદિ સર્વ પણ બ્રહ્મા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમને વીંટળાઈને બેઠા.તે વખતે પોતાના તેજ વડે આકર્ષણ કરતા પુરાતન દેવ નર અને નારાયણ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે બૃહસ્પતિએ બ્રહ્માને પૂછ્યું કે-'તમારી ઉપાસના ન કરનારા આ બે કોણ છે?તે કહો.