હે દુર્યોધન,તું જો મારુ કહેવું માનીશ નહિ,તો કૌરવોનો વિનાશ પાસે જ આવી લાગ્યો છે એમ સમજ.તારી બુદ્ધિ અધર્મ ને અર્થથી ભ્રષ્ટ થઇ છે.તારે સર્વને મરણ પામેલા સાંભળવા પડશે કારણકે સર્વ કૌરવો તારા મતને જ અનુસરે છે,ને તું ત્રણના જ મતને માન્ય ગણે છે.કે જેમાંનો એક,પરશુરામે જેને શાપ આપેલો છે તે હલકી જાતિનો સૂતપુત્ર કર્ણ છે,બીજો સુબલનો પુત્ર શકુનિ છે ને ત્રીજો તારો પાપી ભાઈ દુઃશાસન છે (28)
Jan 15, 2025
Jan 14, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-712
અધ્યાય-૪૯-ભીષ્મ તથા દ્રોણનાં વાક્યો
II वैशंपायन उवाच II समवेतेषु सर्वेषु तेषु राजसु भारत I दुर्योधनमिदं वाक्यं भीष्मः शान्तनवोब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,તે સર્વે રાજાઓ એકઠા મળ્યા હતા,તેમાં શાંતનુના પુત્ર ભીષ્મ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-
'પૂર્વે બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બ્રહ્મા પાસે ગયા હતા તે સમયે ઇન્દ્ર સહિત વાયુઓ,આદિત્યો,સપ્તર્ષિઓ-આદિ સર્વ પણ બ્રહ્મા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમને વીંટળાઈને બેઠા.તે વખતે પોતાના તેજ વડે આકર્ષણ કરતા પુરાતન દેવ નર અને નારાયણ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે બૃહસ્પતિએ બ્રહ્માને પૂછ્યું કે-'તમારી ઉપાસના ન કરનારા આ બે કોણ છે?તે કહો.
Jan 12, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-711
હે સંજય,એક દિવસે હું પ્રાતઃકાળમાં સંધ્યાવંદન કરી રહ્યો હતો ત્યારે એક બ્રાહ્મણે મને કહ્યું હતું કે-'હે પાર્થ,તારે શત્રુઓની સામે યુદ્ધ કરવાનું દુષ્કર કર્મ કરવાનું છે.માટે જો તારી ઈચ્છા હોય તો,વજ્રધારી ઇન્દ્ર,હરિ નામના ઘોડાઓ જોડેલ રથમાં બેસીને શત્રુઓનો નાશ કરતા તારી આગળ ચાલશે અથવા શ્રીકૃષ્ણ સૂગ્રીવાદિ ઘોડાઓ જોડેલા રથમાં બેસીને તારું પાછળથી રક્ષણ કરશે' તે વખતે મેં વજ્રધારી ઇન્દ્ર કરતાં આ યુદ્ધને માટે શ્રીકૃષ્ણને જ સહાયક માગી લીધા અને ચોરોનો વધ કરવા તે કૃષ્ણ મને મળ્યા.હું માનું છું કે દેવતાઓએ જ મારે માટે એ નિર્માણ કરેલું છે.શ્રીકૃષ્ણ જાતે યુદ્ધ ન કરે તો પણ તે તેમના મનમાં જે પુરુષના જયની ઈચ્છા કરે તે પુરુષ ઇન્દ્રસહિત સર્વ દેવોનો પણ પરાજય કરી શકે તો પછી સામાન્ય મનુષ્યની તો શાની ચિંતા હોય?
Jan 11, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-710
દુર્યોધન,જો અજમીઢવંશી યુધિષ્ઠિર રાજાને રાજ્ય આપશે નહિ તો,ધૃતરાષ્ટ્રના પુત્રોએ જેનું ફળ હજી ભોગવ્યું નથી,એવું પાપકર્મ પૂર્વે અવશ્ય કરેલું છે એમ માનવું કેમ કે પાંડવો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ અને જે અપકારનું ચિંતન કરવાથી જ પૃથ્વી ને સ્વર્ગને બાળી મૂકે તેવા છે તે યુધિષ્ઠિરની સાથે અવશ્ય યુદ્ધ કરવું પડશે.દુર્યોધન જો યુદ્ધ કરવાની જ ઈચ્છા રાખતો હોય તો પાંડવોને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે-એમ જ સમજ.માટે પાંડવોના હિતને માટે તું અર્ધું રાજ્ય મળે તેમ કરીશ નહિ પણ જો તારી માન્યતા હોય તો યુદ્ધ થવા જ દેજે.(10)
Jan 10, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-709
યાનસંધિ પર્વ
અધ્યાય-૪૭-સંજય સભામાં આવ્યો
II वैशंपायन उवाच II एवं सनत्सुजातेन विदुरेण च धीमता I सार्ध कथयेतो राज्ञः स व्यतीयाय शर्वरी II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે સનત્સુજાત અને બુદ્ધિમાન વિદુરની સાથે વાર્તાલાપ કરતા ધૃતરાષ્ટ્રની તે રાત વીતી ગઈ.પ્રભાત થતા,સર્વે રાજાઓ સંજયને મળવાની ઈચ્છાથી પ્રસન્ન થઈને સભામાં દાખલ થયા.તે સુંદર રાજસભામાં,પાંડવોનાં ધર્મ તથા અર્થયુક્ત વચનો સાંભળવાની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને આગળ કરીને ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે અને દુર્યોધનને આગળ કરીને શકુનિ,કર્ણ વગેરે તથા સર્વ રાજાઓ દાખલ થયા.પછી,સંજય પણ ત્યાં આવી પહોંચ્યો ને કહેવા લાગ્યો કે-'હું પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.પાંડવો સર્વ કૌરવોને વયના પ્રમાણમાં અભિનંદન ને વૃદ્ધોને વંદન આપ્યા છે.પાંડવોએ મળીને જે સંદેશો કહ્યો છે તે હું હવે સર્વને કહીશ,તે તમે સર્વ સાંભળો (17)
અધ્યાય-47-સમાપ્ત
Jan 9, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-708
જેમ,સર્પો દરમાં રહીને પોતાના શરીરને છુપાવે છે,તેમ,કેટલાક (દંભી)મનુષ્યો પોતાના ગુરુના શિક્ષણથી અથવા દંભી વર્તનથી પોતાના પાપોને છુપાવે છે.આવા પુરુષો પર મૂઢ મનુષ્યો મોહ પામે છે,ને તે દંભી પુરુષો તે મૂઢોને નરકમાં નાખવા મોહિત કરે છે,માટે પરમાત્માના લાભને માટે સારી રીતે પરીક્ષા કરેલ સજ્જનોની જ સંગતિ કરવી જોઈએ.જીવન્મુકતને અનુભવ થાય છે કે 'હું ત્રણે કાળમાં અસત એવા દેહાદિકના ધર્મવાળો નથી,માટે મને જીવન-મૃત્ય નથી,ને જયારે મને બંધન નથી તો મોક્ષ કોનાથી?
સત્ય અને અસત્યરૂપ જગત સત્ય તથા સમાન એવા બ્રહ્મને આધીન છે અને કાર્ય-કારણની ઉત્પત્તિનું સ્થાન હું એક જ છું'
તેવા મને -સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (22)