Jan 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-718

 

અધ્યાય-૫૩-ધૃતરાષ્ટ્રનો વિલાપ 

II धृतराष्ट्र उवाच II यथैव पांडवा: सर्वे पराक्रांता जिगीषव: I तथैवामिसरास्तेषां त्यत्कात्मानो जयेधृताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-સર્વ પાંડવો જે પ્રમાણે પરાક્રમી ને વિજયની ઈચ્છાવાળા છે,તે પ્રમાણે તેમના અગ્રેસરો પણ પ્રાણ આપવા તૈયાર ને વિજયને

માટે નિશ્ચયવાળા છે.પંચાલ,કેકય,મત્સ્ય,માગધ તથા વત્સદેશી પરાક્રમી રાજાઓના જે નામ તેં કહ્યાં હતાં તે અને ઈચ્છા કરતાં જ

ઇન્દ્રસહિત સર્વલોકોને વશ કરે તેવા જગતના સ્ત્રષ્ટા કૃષ્ણ,પાંડવોના જયનો નિશ્ચય કરીને બેઠા છે.

શિનીનો પુત્ર સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન પણ પરાક્રમથી યુદ્ધ કરશે.હે તાત,મને યુધિષ્ઠિરના ક્રોધથી,અર્જુનના પરાક્રમથી ને ભીમ,નકુળ ને

સહદેવથી ભય થાય છે.પાંડવો રણભૂમિમાં અમાનુષ શસ્ત્રજાળ પાથરશે,તેથી હું વિલાપ કરું છું (7)

Jan 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-717

 

અધ્યાય-૫૨-અર્જુન તરફના ભયનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II यस्य वै नानृतावाच: कदचिद्नुशुश्रुम I त्रैलोक्यमपि तस्य स्याध्योद्वा यस्य धनंजयः II १ II

ધૃતરાષ્ટ બોલ્યા-અમે જેની વાણી કોઈ પણ દિવસ મિથ્યા સાંભળી નથી અને જેનો અર્જુન યોદ્ધો છે,તે યુધિષ્ઠિરને ત્રણે લોકનું રાજ્ય મળે તેમ છે.હું વિચાર કરું છું કે એવો કોઈ જ પુરુષ નથી કે જે અર્જુનની સામે અડવા જાય.કર્ણી અને નાલીક જાતનાં,હૃદયને ચીરી નાખનારા બાણો છોડનારા તે ગાંડીવધારી અર્જુનની સામે જનારો તેનો બરોબરીઓ મને કોઈ જ દેખાતો નથી.દ્રોણ અને કર્ણ જો અર્જુનની સામે યુદ્ધ કરવા જાય તો જય કોનો થશે?એ સંબંધી લોકોમાં મોટો સંદેહ ઉત્પન્ન થાય,પરંતુ મારા પક્ષનો તો વિજય થવાનો જ નથી કારણકે કર્ણ દયાળુ ને પ્રમાદી છે અને દ્રોણાચાર્ય વૃદ્ધ અને તેઓના પણ ગુરુ છે.બીજી તરફ અર્જુન,સમર્થ,બળવાન,દૃઢ ધનુષ્યવાળો ને શ્રમરહિત છે.(6)

Jan 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-716

 

આ ભીમસેન,ગદારહિત,ધનુષરહિત,રથ ને કવચરહિત થઈને માત્ર બે હાથથી યુદ્ધ કરે તો પણ તેની સામે કયો પુરુષ ઉભો રહી શકે તેમ છે? તેના પરાક્રમને હું જાણું છું,તેમ જ ભીષ્મ,દ્રોણ અને કૃપ પણ જાણે છે.પરંતુ તે મહાપુરુષો,આર્યપુરુષોના વ્રતને જાણે છે તેથી અને સંગ્રામનો અંત લાવવાની ઈચ્છાથી તેઓ મારા પુત્રોની સેનાના મોખરા પર ઉભા રહેશે.મને પાંડવોનો જય દેખાય છે,છતાં હું મારા પુત્રોને રોકતો નથી,એ ઉપરથી પુરુષનું દૈવ જ બળવાન છે એમ હું માનું છું.(47)

Jan 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-715

 

અધ્યાય-૫૧-ભીમથી ત્રાસ 


II धृतराष्ट्र उवाच II सर्व एते महोत्साहा ये त्वया परिकीर्तिताः I एकतस्त्वेव ते सर्व समेता भीम एकतः  II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તેં જે યોદ્ધાઓ કહ્યા તે સર્વે મોટા ઉત્સાહવાળા છે પણ તે એકઠા મળેલાને એક તરફ મૂકીએ અને ભીમ એકલાને એક તરફ મૂકીએ તો તે સર્વની સમાન થાય.જેમ,વાઘથી મહામૃગને ભય લાગે તેમ મને તે ક્રોધી તથા અસહનશીલ ભીમનો મહાભય લાગે છે,ને હું નિસાસા નાખતો રાતોના ઉજાગરા કરું છું.તેના સમાન હું આપણી સેનામાં કોઈને જોતો નથી કે જે તેની સામે યુદ્ધમાં ટકી શકે,તે મહાબળવાન મારા પુત્રોનો સંહાર કરી નાખશે.હું મારા મનથી,ભીમની તે આઠ ખૂણાવાળી ભયંકર ગદાને,ઉગામેલા બ્રહ્મદંડની જેવી જોઉં છું કે જે મહાહઠે ભરાયેલા કૌરવોને યુદ્ધમાં દંડધારી કાળરૂપ થઇ પડશે.(8)

Jan 16, 2025

Bhagvat-Gujarati-with shlok and translation-As it is

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-714

 

અધ્યાય-૫૦-પાંડવોના પક્ષનું સંજયનું ભાષણ 


II धृतराष्ट्र उवाच II किमसौ पाण्डवो राज धर्मपुत्रोभ्यभाषत I श्रुत्वेह बहुलाः सेनाः प्रीत्यर्थ नः समागताः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,અહીં અમારી પ્રીતિને માટે ઘણી સેનાઓ આવી છે,એ સાંભળીને ધર્મપુત્ર યુધિષ્ઠિર શું બોલ્યો?

યુદ્ધની ઈચ્છાથી તે શી તૈયારી કરી રહ્યા છે? અને તેને યુદ્ધ કરવા માટે કોણ સાથ આપે છે ને કોણ રોકે છે?

સંજય બોલ્યો-પાંડવોની સાથે પાંચાલો,યુધિષ્ઠિરની આજ્ઞા ઉઠાવવા માટે તેમની સામે ઉભા છે.પાંચાલો,સોમકો યુધિષ્ઠિરને અભિનંદન આપે છે ને તેમનું સન્માન કરે છે.કેકયો અને મત્સ્યો પણ તેમનું સન્માન કરે છે.(8)

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડ્વો કોના સૈન્યની સહાયથી યુદ્ધ કરવા તૈયાર થયા છે? ધૃષ્ટદ્યુમ્નના સૈન્ય કે સોમકોના સૈન્યથી?