અધ્યાય-૫૭-સંજયનું ભાષણ-પાંડવ પક્ષના યોદ્ધાઓનું વર્ણન
II धृतराष्ट्र उवाच II कांस्तत्र संजयापश्यः प्रित्यर्थेन समागतान् I ये योत्स्यते पाण्डवार्थे पुत्रस्य मम वाहिनीं II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પાંડવોને માટે મારા પુત્રની સેના સાથે યુદ્ધ કરે એવા કયા કયા યોદ્ધાઓને તેં ત્યાં જોયા હતા?
સંજય બોલ્યો-અંધક અને વૃષ્ણિઓમાં મુખ્ય શ્રીકૃષ્ણને મેં ત્યાં આવેલા જોયા.ચેકિતાન અને યુયુધાન સાત્યકિ એ બંને મહારથી,જુદીજુદી એક અક્ષૌહિણી સેના લઈને આવ્યા છે.પંચાલરાજ દ્રુપદ,સત્યજિત,ધૃષ્ટદ્યુમ્ન વગેરે પોતાના દશ વીર પુત્રો સાથે એક અક્ષૌહિણી સેનાથી વીંટાઇને શિખંડીના રક્ષણ હેઠળ પાંડવોનું માન વધારવા આવી પહોંચ્યા છે.