Jan 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-724

 

અધ્યાય-૫૮-ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો સંવાદ 


II धृतराष्ट्र उवाच II क्षत्रतेज ब्रह्मचारी कौमारादपि पाण्डवः I तेन संयुगमेष्यन्ति मंदा विलपतो मम  II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-યુધિષ્ઠિર બાળપણથી જ ક્ષાત્રતેજથી યુક્ત તથા બ્રહ્મચારી છે.હું વિલાપ કરું છું છતાં તે યુધિષ્ઠિરની સાથે મારા મૂર્ખ પુત્રો યુદ્ધ કરવા તૈયાર થયા છે.ઓ દુર્યોધન,તું યુદ્ધ કરવાનું માંડી વાળ.વિદ્વાનો કોઈ પણ અવસ્થામાં યુદ્ધને વખાણતા નથી.તારા મંત્રીઓની સાથે તને આજીવિકા માટે અર્ધી પૃથ્વી પૂરતી છે.માટે તું પાંડવોને યથાયોગ્ય ભાગ આપી દે.તું પાંડવો સાથે શાંતિ રાખવા ઈચ્છે-એ વાતને જ સર્વે કૌરવો ધર્મયુક્ત માને છે.તું તારી પોતાની સેના તરફ  દ્રષ્ટિ કર,તે તારો વિનાશ સૂચવે છે.પણ તું મોહને લીધે સમજતો નથી.હું પોતે યુદ્ધને ઈચ્છતો નથી,બાલહિક યુદ્ધને ઇચ્છતા નથી,તેમ જ ભીષ્મ,દ્રોણ,અશ્વસ્થામા,સંજય,સોમદત્ત,શલ,કૃપ,સત્યવ્રત,પુરુમિત્ર,જાય ને ભૂરિશ્રવા એ સર્વે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી.(7)ટુંકાણમાં શત્રુઓથી પીડાયેલા કૌરવો જેઓને આશ્રયે રહે,તે સર્વ યુદ્ધને ઇચ્છતા નથી તો એ વાત તને પણ પસંદ પડો.આ યુદ્ધ તું પોતે પણ પોતાની ઈચ્છાથી નહિ પણ,કર્ણ,દુઃશાસન અને શકુનિ જ તારી પાસે કરાવે છે (9)

Jan 25, 2025

Vidur Niti-Gujarati Book-વિદુરનીતિ

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-723

 

અધ્યાય-૫૭-સંજયનું ભાષણ-પાંડવ પક્ષના યોદ્ધાઓનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II कांस्तत्र संजयापश्यः प्रित्यर्थेन समागतान् I ये योत्स्यते पाण्डवार्थे पुत्रस्य मम वाहिनीं II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પાંડવોને માટે મારા પુત્રની સેના સાથે યુદ્ધ કરે એવા કયા કયા યોદ્ધાઓને તેં ત્યાં જોયા હતા?

સંજય બોલ્યો-અંધક અને વૃષ્ણિઓમાં મુખ્ય શ્રીકૃષ્ણને મેં ત્યાં આવેલા જોયા.ચેકિતાન અને યુયુધાન સાત્યકિ એ બંને મહારથી,જુદીજુદી એક અક્ષૌહિણી સેના લઈને આવ્યા છે.પંચાલરાજ દ્રુપદ,સત્યજિત,ધૃષ્ટદ્યુમ્ન વગેરે પોતાના દશ વીર પુત્રો સાથે એક અક્ષૌહિણી સેનાથી વીંટાઇને શિખંડીના રક્ષણ હેઠળ પાંડવોનું માન વધારવા આવી પહોંચ્યા છે.

Jan 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-722

 

અધ્યાય-૫૬-સંજયનું ભાષણ-પાંડવોના રથાદિનું વર્ણન 


 II दुर्योधन उवाच II अक्षौहिणीः सप्तलब्ध्वा राजाभिः सह संजय I किंस्विदिच्छति कौन्तेयो युध्दःप्रेप्सुर्युधिष्ठिरः II १ II

દુર્યોધને પૂછ્યું-હે સંજય,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર,રાજાઓની સાથે સાત અક્ષૌહિણી સેના મેળવી શું ઈચ્છા રાખે છે?

સંજય બોલ્યો-હે રાજા,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર અતિશય આનંદમાં રહે છે.અર્જુન,ભીમ,નકુળ તથા સહદેવ પણ નિર્ભય જણાય છે.અર્જુને અસ્ત્રના મંત્રોની અસર જાણવાની ઈચ્છાથી સર્વ દિશાઓને પ્રકાશિત કરનારો પોતાનો રથ જોડ્યો હતો.કવચ પહેરીને તૈયાર થયેલા અર્જુને સર્વ તરફનો વિચાર કરીને આનંદ પામતાં મને કહ્યું કે-'હે સંજય,તું અમારું આ પ્રાથમિક ચિહ્નન જો,અમે યુદ્ધમાં જીતીશું'

દુર્યોધન બૉંલ્યો-હે સંજય,તું માત્ર,પાસાઓથી હારી ગયેલા પાંડવોની પ્રસંશા કરે છે ને તેમને અભિનંદન આપે છે,

પણ કહે કે અર્જુને,રથને કેવા ઘોડાઓ જોડ્યા છે અને તેના ધ્વજો કેવા છે?(6)

Jan 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-721

 હે રાજન,હું તો તે ભીમને હાથમાં ગદા લઈને ઉભેલો જોવાની ઈચ્છા કરું છું.રણભૂમિમાં હું તેના પર એક જ ગદાપ્રહાર કરીશ કે તે પ્રાણ વિનાનો થઈને પૃથ્વી પર પડશે.મારી ગદાના એક પ્રહારથી તો હિમાલયના પણ અનેક ટુકડા થઇ જાય,એ વાત તો ભીમ,અર્જુન ને કૃષ્ણ પણ જાણે  છે.માટે આ યુદ્ધમાં ભીમ સંબંધી તમારો જે ભય હોય તે દૂર કરો,હું ભીમને અવશ્ય મારીશ,તમે મનમાં ખેદ કરો નહિ.હું ભીમને મારીશ એટલે અર્જુનને,તેનાથી અધિક એવા અનેક રથીઓ મારી નાખશે.

Jan 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-720


અધ્યાય-૫૫-દુર્યોધનનું ભાષણ 

II दुर्योधन उवाच II न भेतव्यं महाराज न शोच्या भवता भयम् I समर्थाः स्म परान्जेतु बलिनः समरे विभो II १ II

દુર્યોધન બોલ્યો-હે મહારાજ,તમારે ડરવું નહિ તથા અમારે માટે શોક કરવો નહિ કારણકે હે વિભો,અમે યુદ્ધમાં બળવાન શત્રુઓને જીતવા સમર્થ છીએ.જે વખતે વનમાં કાઢી મુકેલા પાંડવોને મળવા માટે,ઈંદ્રપ્રસ્થથી થોડે છેટે,પ્રચંડ સેનાઓ લઈને શ્રીકૃષ્ણ,કેકયો,ધૃષ્ટકેતુ,ધૃષ્ટદ્યુમ્ન આદિ અનેક લોકો પાંડવોની પાસે આવ્યા હતા ને સર્વ એકઠા થઈને તમારી નિંદા અને યુધિષ્ઠિરનું સન્માન કરવા લાગ્યા હતા.પછી,તેઓ ઠરાવ પર આવ્યા હતા કે 'પરિવાર સાથે આપણો વિનાશ કરીને રાજ્ય પાછું લેવું.' એ સાંભળીને મેં ભીષ્મ,દ્રોણ અને કૃપને કહ્યું હતું કે-'પાંડવો પોતાના કરાર પ્રમાણે ચાલશે,પરંતુ શ્રીકૃષ્ણ આપણા સર્વનો વિનાશ કરવા ઈચ્છે છે.એક વિદુર ને ધૃતરાષ્ટ્ર સિવાય,આપણા સર્વનો સંપૂર્ણ વિનાશ કરીને શ્રીકૃષ્ણ સર્વ રાજ્ય યુધિષ્ઠિરને આપવા ઈચ્છે છે.માટે આવા પ્રસંગમાં શું સંધિને માટે તેમને નમન કરવું,નાસી જવું કે પ્રાણોની દરકાર રાખ્યા વિના તેમની સામે યુદ્ધ કરવું? નમી પડવામાં મને મારા પિતાનો શોક થાય છે કેમ કે તેમને મારે લીધે જ નમાવવા મને કષ્ટદાયક લાગે છે.'(16)