અધ્યાય-૬૪-વિદુરનો ઉપદેશ
II विदुर उवाच II शकुनीनाभिहार्थाय पाशं भूभावयोजयत I कश्विच्छाकुनिकस्तात पुर्ववामिति शुश्रुन II १ II
વિદુરે કહ્યું-હે તાત,અમે વૃદ્ધોની પાસેથી એક વાત સાંભળી છે.એક પારધીએ પક્ષીઓને પકડવા જમીન પર જાળ પાથરી હતી,કે જેમાં બે પક્ષીઓ એક સાથે ફસાઈ ગયાં,પણ તે પક્ષીઓ જાળને લઈને ઉડી ગયાં.પારધી તેની પાછળ દોડવા લાગ્યો,ત્યારે તેને કોઈ મુનિએ જોયો,ને તેને દોડવાનું કારણ પૂછ્યું.ત્યારે પારધીએ કહ્યું કે-'આ બંને પક્ષીઓ સાથે મળીને મારી જાળને લઇ જાય છે પરંતુ તે જ્યાં વિવાદ કરશે ત્યારે મારા તાબામાં આવી જશે' પછી,બન્યું પણ એવું જ.મૃત્યુથી સપડાયેલાં તે બંને પક્ષી પરસ્પર વિવાદ કરવા લાગ્યા અને લડાઈ કરીને જમીન પર પડ્યાં,ત્યારે પારધીએ તેમને પકડી લીધાં.