- શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation
- દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર -DWADASA JYOTIRLINGA STOTRAM – GUJARATI
- શિવ માનસ પૂજા-SHIVA MANASA PUJA – GUJARATI
- શિવ -પંચાક્ષર -સ્તોત્ર -SHIVA PANCHAKSHARI STOTRA– GUJARATI
- રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન-RUDRA ASHTAKAM – GUJARATI
- આત્માષ્ટકમ-Aatmshtakam-Stotra-With Gujarati Traslation
- શિવ-સૂત્રો
- શિવ-ગીતા
- શિવ-લહરી
- શિવ-પૂજન વિધિ-વેદોક્ત
- શિવ-પુરાણ
- શિવ-સ્તોત્રો
- શિવ-સ્તુતિ
- લઘુ-રુદ્રાભિષેક
- રૂદ્રાષ્ઠાધ્યાયી (શુક્લ યજુર્વેદીય) અર્થ સાથે
Feb 26, 2025
Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-740
.jpg)
ક્ષત્રિયોનો ધર્મ એટલે સાક્ષાત પાપ જ છે,પરંતુ અમે ક્ષત્રિય કુળમાં જન્મ્યા છીએ તેથી અમારો સ્વધર્મ,ભલે અધર્મ હોય પણ અમારા માટે બીજી વૃત્તિ નિંદ્ય છે.શુદ્ર સેવા કરે છે,વૈશ્યો વેપાર કરે,બ્રાહ્મણોએ ભિક્ષાપાત્ર સ્વીકાર્યું છે અને અમે વધ કરીને જીવીએ છીએ.ક્ષત્રિય,ક્ષત્રિયનો નાશ કરીને જીવે છે,માછલું,માછલાંનો કે કૂતરો,કુતરાનો નાશ કરીને જીવે છે,
આ કુલ પરંપરાગત ધર્મ તો જુઓ ! (48)
Feb 25, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-739
એવી નિર્ધન અવસ્થામાં આવીને કેટલાએક લોકો મરણ માગી લે છે,કેટલાએક ખરાબ ગામમાં જઈને વસે છે,કેટલાએક વનમાં ચાલ્યા જાય છે,કેટલાએક નાશને માટે નીકળી જાય છે,કેટલાએક ગાંડા થઇ જાય છે,કેટલાએક શત્રુના તાબામાં જઈને પડે છે અને કેટલાએક ધનને માટે બીજાના દાસ બની જાય છે (26) ધનનાશની આપત્તિ પુરુષને મરણ કરતાં પણ અધિક કષ્ટદાયક છે કારણકે ધન એ જ ધર્મ તથા કામ સંપાદન કરવામાં નિમિત્ત છે.
Feb 24, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-738
ભગવદ્યાન પર્વ
અધ્યાય-૭૨-યુધિષ્ઠિરની શ્રીકૃષ્ણને પ્રેરણા
II वैशंपायन उवाच II संजये प्रतियाते तु धर्मराजो युधिष्ठिरः I अभ्यभाव दाशांर्हमृषभं सर्वसात्वताम् II १ II
વૈશંપાયને કહ્યું-સંજય,કૌરવોના તરફ ગયા પછી,ધર્મરાજા યુધિષ્ઠિર,સર્વ યાદવોમાં શ્રેષ્ઠ,દશાર્હવંશી શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ સમય પ્રાપ્ત થયો છે.આપત્તિમાંથી અમને તારે એવા તમારા વિના બીજા કોઈને હું જોતો નથી.હે લક્ષ્મીના પતિ,તમારો આશ્રય કરીને નિર્ભય થયેલા અમે,મિથ્યા ગર્વિષ્ઠ એવા મંત્રીઓ સહિત દુર્યોધનની પાસેથી અમારા ભાગની પ્રાર્થના કરીએ છીએ.હે શત્રુદમન,તમે જેમ,સર્વ આપત્તિઓમાંથી યાદવોનું રક્ષણ કરો છો,તેમ તમારે પાંડવોનું પણ રક્ષણ કરવું જોઈએ,માટે આ મહાભયમાંથી અમને બચાવો (4)
Feb 23, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-737
અધ્યાય-૭૧-ધૃતરાષ્ટ્રે કરેલું શ્રીકૃષ્ણનું વર્ણન
II धृतराष्ट्र उवाच II चक्षुष्मतां वै स्पृहयामि संजय द्रक्ष्यम्ति ये वासुदेवं समीपे I विभ्राजमानं वपुषा परेण प्रकाशयंतं प्रदिक्षो दिशश्व II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું નેત્રવાળાઓની ભાગ્યની સ્પૃહા કરું છું.કારણકે તેઓ ચૈતન્ય સ્વરૂપથી ઝળહળી રહેલા અને દિશાઓ તથા વિદિશાઓને પ્રકાશિત કરતા વાસુદેવના પ્રત્યક્ષ દર્શન કરશે.યાદવરૂપે પ્રગટ થયેલા,વિશ્વમાં એક વીર,યાદવોના મુખ્ય નાયક,શત્રુઓને ક્ષોભ પમાડી,મારી,તેઓના યશનો નાશ કરનારા યાદવ શ્રેષ્ઠ શત્રુહંતા,ઇચ્છવા યોગ્ય અને મહાત્મા શ્રીકૃષ્ણ ભરતવંશીઓએ સન્માન કરવા યોગ્ય છે,ઐશ્વર્યની ઇચ્છાવાળાઓએ ગ્રહણ કરવા યોગ્ય છે,મારવાની તૈયારીવાળાઓને અગ્રાહ્ય,અનિંદ્ય તથા પ્રેમાળ વાણી બોલી,મારા પુત્રોને મોહિત કરતા હશે,તે વખતે એકઠા મળેલા કૌરવો તેમનાં દર્શન કરશે.
Feb 7, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-736
અધ્યાય-૭૦-હેતુવાળાં શ્રીકૃષ્ણનાં નામો
II धृतराष्ट्र उवाच II भूयो मे पुंडरिकाक्षं संजयाचक्ष्व पृच्छतः I नामकर्मावित्तात प्राप्यां पुरुषोत्तमं II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું તને પ્રશ્ન કરું છું માટે ફરી તું કમળનયન શ્રીકૃષ્ણ સંબંધી કથા કહે,
જે પુરુષોત્તમનાં નામો તથા કર્મોનો અર્થ જાણીને હું તેમને પ્રાપ્ત થાઉં.
સંજયે કહ્યું-મેં શ્રીકૃષ્ણનાં નામોનો શુભ અર્થ સાંભળ્યો છે,તેમાં હું જેટલું જાણું છું તેટલું તમને કહીશ.કારણકે શ્રીકૃષ્ણ વાણીના અવિષય છે.એ શ્રીકૃષ્ણ માયા વડે આવરણ કરે છે તેથી જગત એમનામાં વાસ કરે છે તેથી અને પ્રકાશમાન હોવાથી 'વાસુદેવ' કહેવાય છે.(અથવા દેવો એમનામાં વાસ કરે છે તેથી તે વાસુદેવ કહેવાય છે)સર્વવ્યાપક હોવાથી તે 'વિષ્ણુ' કહેવાય છે.
'મા'એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિ,કે જે મૌન,ધ્યાન તથા યોગથી દૂર થાય છે તેથી તેમનું નામ 'માધવ' છે.