Feb 28, 2025

મસ્તની બેહોશી-by Anil


ખોળતા હતા ચક્ષુ જેને,તે તો ચક્ષુમાં જ બેઠો હતો,

મૂર્તમાં અમૂર્ત,આકારમાં નિરાકાર ઓળખાઈ ગયો.


જ્યાં શબ્દમાં શૂન્ય,ગુણોમાં નિર્ગુણ દેખાઈ ગયું,

તે તો હતો જ ત્યાં,જ્યાં એને કદી ખોળ્યો નહોતો.


હતી તમન્ના,ઘર બને વિરાનમાં કદી મારું,પણ,

રહું છું જ્યાં,તે ઘર જ વિરાન બની ગયું.


ખુદ સાગર આવી મળ્યો જ્યાં બુંદમાં,બુંદનું 'હું પણું' ગયું,

હોશ નથી શિર ઉઠાવવાનો,બેહોશીમાં જ શિર ઝૂકી ગયું.


નથી સંગ આ બેહોશીનો,દેખાતી દુનિયાની બેહોશી સાથે,

મસ્તની દુનિયા,મસ્તની બેહોશી,હવે હોશમાં આવવું શું?

અનિલ 

ફેબ્રુઆરી-28-2025


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-742

 

અધ્યાય-૭૩-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II संजयस्य श्रुतं वाक्यं भवतश्च श्रुतं मया I सर्व जानाम्यभिप्रायं तेषां च भवतश्च यः II १ II

શ્રીભગવાન બોલ્યા-હે રાજા,મેં સંજયનું અને તમારું કહેવું પણ સાંભળ્યું છે,તથા તમારો અને તેઓનો જે અભિપ્રાય છે તે સર્વ પણ હું જાણું છું.તમારી બુદ્ધિ ધર્મનો આશ્રય કરીને રહેલી છે અને તેઓની બુદ્ધિ વૈરનો આશ્રય કરીને રહેલી છે.યુદ્ધ કર્યા વિના થોડું મળે તેને તમે ઘણું માનવા તત્પર છો,પરંતુ સર્વ આશ્રમીઓ કહે છે કે-ક્ષત્રિયે,જીવતાં સુધી બ્રહ્મચર્ય પાળવું નહિ ને સન્યાસી થઈને ભિક્ષાથી નિર્વાહ કરવો નહિ.ક્ષત્રિયને માટે સંગ્રામમાં જય અથવા વધ- એજ વિધાતાએ કહેલો સનાતન સ્વધર્મ છે,દીનની જેમ યાચના કરવી એ ક્ષત્રિયનો ધર્મ નથી,દીનતાનો આશ્રય કરીને જીવન ચલાવવું યોગ્ય નથી.માટે તમે પરાક્રમ કરો અને શત્રુઓનો સંહાર કરો.(5)

Feb 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-741

 

જે મનુષ્ય સર્વનો નાશ કરે છે તેનો યશ નાશ પામે છે અને તે સર્વ પ્રાણીઓમાં કાયમની અપકીર્તિ સંપાદન કરે છે.એકવાર વેર ઉત્પન્ન થયું એટલે તે લાંબો સમય જતાં પણ શાંત થતું નથી કારણકે શત્રુકુળમાં જો એકાદ પુરુષ પણ હયાત હોય તો તેને પૂર્વ વૈરની વાત કહેનારા લોકો મળી આવે છે.હે કેશવ,વૈર થી વૈરની કદી શાંતિ થતી નથી.પણ તે અધિકાધિક વૃદ્ધિ જ પામે છે ને જેમ,છિદ્ર જોનારાને અવશ્ય છિદ્ર મળી જ આવે છે,તેમ છેવટે પોતાનો અથવા શત્રુનો પૂરો વિનાશ થયા વિના શાંતિ થતી નથી.

જેને પુરુષાર્થનું અભિમાન છે તેને હૃદયમાં પીડા કરનાર બળવાન વૈરરૂપી મનોવ્યથા રહે છે કે જે મનોવ્યથાનો ત્યાગ કે મરણથી જ શાંતિ થાય છે.અથવા હે કેશવ,શત્રુઓનો સમૂળ નાશ કરવાથી નિષ્કંટક રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે,પરંતુ કોઈનો સમૂળ ઉચ્છેદ કરવો એ મહાક્રુર કર્મ કર્યું ગણાય કે નહિ? ગણાય જ.(66)

Feb 26, 2025

શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation



Download this PDF




પુષ્પદંત ઉવાચ ||
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||

હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-740

 

ક્ષત્રિયોનો ધર્મ એટલે સાક્ષાત પાપ જ છે,પરંતુ અમે ક્ષત્રિય કુળમાં જન્મ્યા છીએ તેથી અમારો સ્વધર્મ,ભલે અધર્મ હોય પણ અમારા માટે બીજી વૃત્તિ નિંદ્ય છે.શુદ્ર સેવા કરે છે,વૈશ્યો વેપાર કરે,બ્રાહ્મણોએ ભિક્ષાપાત્ર સ્વીકાર્યું છે અને અમે વધ કરીને જીવીએ છીએ.ક્ષત્રિય,ક્ષત્રિયનો નાશ કરીને જીવે છે,માછલું,માછલાંનો કે કૂતરો,કુતરાનો નાશ કરીને જીવે છે,

આ કુલ પરંપરાગત ધર્મ તો જુઓ ! (48)

Feb 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-739

 

એવી નિર્ધન અવસ્થામાં આવીને કેટલાએક લોકો મરણ માગી લે છે,કેટલાએક ખરાબ ગામમાં જઈને વસે છે,કેટલાએક વનમાં ચાલ્યા જાય છે,કેટલાએક નાશને માટે નીકળી જાય છે,કેટલાએક ગાંડા થઇ જાય છે,કેટલાએક શત્રુના તાબામાં જઈને પડે છે અને કેટલાએક ધનને માટે બીજાના દાસ બની જાય છે (26) ધનનાશની આપત્તિ પુરુષને મરણ કરતાં પણ અધિક કષ્ટદાયક છે કારણકે ધન એ જ ધર્મ તથા કામ સંપાદન કરવામાં નિમિત્ત છે.