અધ્યાય-૯૧-દુર્યોધનને ત્યાં શ્રીકૃષ્ણ
II वैशंपायन उवाच II प्रुथामामन्त्र्य गोविन्दः कृत्वा चाभिप्रदक्षिणम् I दुर्योधनगृहं शौरिरभ्यगच्छदरिन्दमः II १ II
વૈશંપાયને કહ્યું-પછી,ઇન્દ્રના મહાલય જેવા,શોભાસંપન્ન તથા ચિત્રવિચિત્ર આસનોથી યુક્ત દુર્યોધનના મહેલમાં શ્રીકૃષ્ણ દાખલ થયા.ત્યાં,દુર્યોધન,હજારો રાજાઓ,કૌરવો,દુઃશાસન,કર્ણ અને શકુનિ આદિથી વીંટાઇને બેઠેલો હતો.શ્રીકૃષ્ણને પાસે આવેલા જોઈ દુર્યોધન,તેમને માન આપવા અમાત્યોની સાથે ઉભો થયો ને તેમને આસન આપીને તેમનો વિધિપૂર્વક સત્કાર કર્યો.
દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન માટે નિમંત્રણ કર્યું હતું,પરંતુ કેશવે તે કબુલ કર્યું નહોતું,એટલે દુર્યોધને ઉપરથી મૃદુ પણ અંદરથી શઠતાભરેલાં વાક્ય વડે શ્રીકૃષ્ણને કહ્યું કે-