Mar 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-758

 

અધ્યાય-૯૩-શ્રીકૃષ્ણનું વિદુર પ્રત્યે ભાષણ 


II श्रीभगवानुवाच II यथा बुयान्महाप्राज्ञो यथा बुयाद्विचक्षणः I यथा वाच्यस्त्वद्विधेन भवत मद्विधः सुहृत II १ II

શ્રીભગવાન બોલ્યા-હે વિદુર,મહાબુદ્ધિમાન,વિચક્ષણ પુરુષ જે પ્રમાણે કહે,અને તમારા જેવાએ મારા જેવા સ્નેહીને જે પ્રમાણે કહેવું જોઈએ,તેવું ધર્માર્થયુક્ત સત્યવચન,તમે મને માતપિતાની જેમ કહ્યું છે.તમે મને જે સત્ય,સમયોચિત તથા યોગ્ય કહ્યું છે તે યથાર્થ છે.પણ હવે તમે સ્વસ્થ થાઓ ને મારા આવવાનું કારણ સાંભળો.હું દુર્યોધનની દુષ્ટતા અને મારો ક્ષત્રિયો સાથેનો વેરભાવ,એ સર્વ જાણીને જ આજે અહીં કૌરવો પાસે આવ્યો છું.ઘોડા-રથ અને હાથીઓની સાથે આ પૃથ્વી નાશ પામવા બેઠી છે,તેને જે પુરુષ મૃત્યુપાશથી મુક્ત કરે,તે ઉત્તમ ધર્મને પ્રાપ્ત થાય છે.(5)

Mar 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-757

 

અધ્યાય-૯૨-શ્રીકૃષ્ણ આગળ વિદુરનું ભાષણ 


II वैशंपायन उवाच II तं भुक्तवंतमाश्वस्तं निशायां विदुरोब्रवीत I नेदं सम्यग्व्यवसितं केशवागमनं तव  II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણ ભોજન કર્યા પછી રાત્રે શાંતિથી બેઠા હતા તે વખતે વિદુર તેમને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમારું અહીં આવવું થયું,એ સારા વિચારપૂર્વક થયું નથી,કારણકે આ દુર્યોધન,અર્થ,ધર્મનું ઉલ્લંઘન કરનારો,મૂર્ખ,ક્રોધી,બીજાનું અપમાન કરીને પોતે માનની ઈચ્છા રાખનારો અને બીજા ઘણા દોષોથી ભરેલો છે,માટે તમે તેને કલ્યાણની વાત કહેશો તો પણ તે ક્રોધને લીધે ગ્રહણ કરશે નહિ.વળી,તે ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા,જયદ્રથ આદિ સર્વ યુદ્ધ કરીને,તેને રાજ્યરૂપી જીવન અપાવશે,એવા વિચારથી સલાહ કરવા ધારતો નથી.

Mar 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-756

 

અધ્યાય-૯૧-દુર્યોધનને ત્યાં શ્રીકૃષ્ણ 


II वैशंपायन उवाच II प्रुथामामन्त्र्य गोविन्दः कृत्वा चाभिप्रदक्षिणम् I दुर्योधनगृहं शौरिरभ्यगच्छदरिन्दमः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,ઇન્દ્રના મહાલય જેવા,શોભાસંપન્ન તથા ચિત્રવિચિત્ર આસનોથી યુક્ત દુર્યોધનના મહેલમાં શ્રીકૃષ્ણ દાખલ થયા.ત્યાં,દુર્યોધન,હજારો રાજાઓ,કૌરવો,દુઃશાસન,કર્ણ અને શકુનિ આદિથી વીંટાઇને બેઠેલો હતો.શ્રીકૃષ્ણને પાસે આવેલા જોઈ દુર્યોધન,તેમને માન આપવા અમાત્યોની સાથે ઉભો થયો ને તેમને આસન આપીને તેમનો વિધિપૂર્વક સત્કાર કર્યો.

દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન માટે નિમંત્રણ કર્યું હતું,પરંતુ કેશવે તે કબુલ કર્યું નહોતું,એટલે દુર્યોધને ઉપરથી મૃદુ પણ અંદરથી શઠતાભરેલાં વાક્ય વડે શ્રીકૃષ્ણને કહ્યું કે-

Mar 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-755

 

અધ્યાય-૯૦-કુંતીનો તથા શ્રીકૃષ્ણનો સંવાદ 


II वैशंपायन उवाच II अथोपगम्य विदुरेषुपराह्वे जनार्दनः I पितृष्वसारं प्रुथामभ्यगच्छदरिदमः II १ II

વૈશંપાયને કહ્યું-શત્રુદમન શ્રીકૃષ્ણ,વિદુરને મળ્યા પછી,પાછલે પહોરે પોતાનાં ફોઈ કુંતીની પાસે ગયા.નિર્મળ સૂર્યના જેવા તેજસ્વી શ્રીકૃષ્ણને આવેલા જોઈને કુંતી તેમને ગળે બાઝી પડ્યાં અને પુત્રોનું સ્મરણ કરીને રડવા લાગ્યાં.પછી,અતિથિ સત્કાર પામીને શ્રીકૃષ્ણ બેઠા એટલે ગળગળા થયેલા મુખ વડે તેમને કહેવા લાગ્યાં કે-જેઓ બાળવયથી જ ગુરુસેવામાં તત્પર છે,પરસ્પર સ્નેહવાળા છે,એકબીજા તરફ માનવૃત્તિવાળા છે,કપટ વડે રાજ્યભ્રષ્ટ થઈને નિર્જન અરણ્યમાં ગયા છે,ક્રોધ તથા હર્ષને સ્વાધીન રાખનારા,બ્રાહ્મણોના ભક્ત અને સત્ય બોલનારા છે,તે મારા પુત્રો પ્રિય વસ્તુઓનો ને સુખનો ત્યાગ કરીને અને મને રડતી છોડીને વનમાં જતાં જતાં મારા હૃદયને સમૂળગું હરી ગયા છે.હે કેશવ,વનવાસને અયોગ્ય એવા મારા પુત્રો વનમાં કેવી રીતે રહ્યા હશે? બાળવયમાં જ પિતા વિનાના થયેલા તેઓને મેં હંમેશાં લાડ લડાવ્યા હતાં.(8)

Mar 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-754

 

અધ્યાય-૮૯-શ્રીકૃષ્ણનો વિદુરના ઘરમાં પ્રવેશ 


II वैशंपायन उवाच II प्रातरुत्थाय कृष्णस्तु कृत्वान्सर्वमाहिकम् I ब्राह्मणैरभ्यनुज्ञातः प्रययौ नगरं प्रति II १ II

વૈશંપાયને કહ્યું-આ તરફ શ્રીકૃષ્ણે પણ પ્રાતઃકાળમાં ઉઠી સર્વ નિત્યકર્મ કર્યું અને બ્રાહ્મણોની આજ્ઞા લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું.શ્રીકૃષ્ણને આવતા સાંભળીને દુર્યોધન સિવાય બીજા ધૃતરાષ્ટ્રના પુત્રો,ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે તેમને સામે લેવા ગયા.શ્રીકૃષ્ણનાં દર્શનની ઈચ્છાવાળા નગરના સર્વે લોકો બહાર નીકળ્યા હતા,કોઈ પણ ઘરમાં રહ્યું નહોતું.માર્ગમાં શ્રીકૃષ્ણ તેમને લેવા આવેલા સર્વને મળ્યા ને તેમના દર્શને આવેલા સર્વને વંદન કરતા તેઓ રાજમાર્ગ પર આવ્યા.રાજમાર્ગ મનુષ્યોથી એટલા બધો ભરાઈ ગયો હતો કે ઘોડાઓની ગતિ પણ અટકી પડી હતી.પછી શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કર્યો ને ત્રણ દ્વાર ઓળંગી ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા.શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર તેમને માન આપવા ઉભા થયા.

Mar 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-753

અધ્યાય-૮૮-શ્રીકૃષ્ણને કેદ કરવાની દુર્યોધનની ઈચ્છા 


II दुर्योधन उवाच II यदाह विदुरः कृष्णे सर्व तत्सत्यमच्युते I अनुरुक्तो ह्यसंहार्यः पार्थान्प्रति जनार्दनः II १ II

દુર્યોધને કહ્યું-વિદુરે કૃષ્ણના સંબંધમાં જે કહ્યું તે સઘળું કૃષ્ણને માટે સત્ય છે.જનાર્દન પાંડવો પ્રત્યે પ્રીતિવાળા છે અને આપણા પક્ષમાં ખેંચાય તેવા નથી,માટે તમે તેમને સત્કારપૂર્વક જે અનેક પ્રકારનું આપવા ધારો છો,તે તેમને કદી આપવું નહિ.કૃષ્ણ તેવા સત્કારને પાત્ર નથી,એમ મારુ કહેવું નથી,પરંતુ આ દેશ અને કાળ તેવા સત્કારને માટે અયોગ્ય છે,કારણકે તેમ કરવાથી કૃષ્ણ માનશે કે આપણે ભયથી તેમનો સત્કાર કરીએ છીએ.હે રાજા,જે કાર્ય કરવાથી ક્ષત્રિયનું અપમાન થાય,તે કાર્ય ડાહ્યા મનુષ્યે કરવું નહિ,એવો મારો દૃઢ નિશ્ચય છે.એ કૃષ્ણ,આ લોકમાં જ નહિ પણ ત્રણે લોકમાં પૂજ્ય છે એ હું સર્વથા જાણું છું,પરંતુ હમણાં કર્તવ્યની રીત એ જ છે કે,તેને કંઈપણ આપવું નહિ.લડાઈનો આરંભ થઇ ચુક્યો છે તે કંઈ લઢ્યા વિના-માત્ર અતિથિસત્કારથી શાંત પડશે નહિ (6)