અધ્યાય-૯૬-દંભોદભવનું આખ્યાન
II वैशंपायन उवाच II तस्मिन्नभिहिते वाक्ये केशवेन महात्मना I स्तिमिता हृष्टरोमाण आसन्सर्वे सभासदः II १ II
વૈશંપાયને કહ્યું-મહાત્મા કેશવે,એ પ્રમાણે વચનો કહ્યાં,તે વખતે સર્વ સભાસદો રોમાંચિત થઈને સ્તબ્ધ થઇ ગયા,અને 'કોઈ પણ પુરુષ એ વચનોનો ઉત્તર આપવા કેમ ઉત્સાહ ધરાવતો નથી?' એમ સર્વ રાજાઓ મનમાં જ વિચારવા લાગ્યા.ત્યારે તે કૌરવોની સભામાં પરશુરામ કહેવા લાગ્યા કે-'હે ધૃતરાષ્ટ્ર રાજા,તું મારી આ દૃષ્ટાંતવળી સત્ય વાણીને નિઃશંક થઈને સાંભળ,ને તે સાંભળીને તને ઠીક લાગે તો તું તારા કલ્યાણ માટે ગ્રહણ કર.(4)