અધ્યાય-૯૭-માતલિએ કરેલી વરની શોધ
II वैशंपायन उवाच II जामदग्न्यवचः श्रुत्वा कण्वोपी भगवानुषि:I दुर्योधनमिदं वाक्यमब्रवित्कुरुसंसदि II १ II
વૈશંપાયને કહ્યું-પરશુરામનાં વચન સાંભળીને ભગવાન કણ્વ ઋષિ પણ કૌરવોની સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-
'આ લોકના પિતામહ બ્રહ્મા જેમ,અક્ષય ને અવિનાશી છે,તેમ,ભગવાન નરનારાયણ ઋષિ પણ અક્ષય અને અવિનાશી છે.અદિતિના સર્વ પુત્રોમાં એકલા વિષ્ણુ જ સનાતન,અજિત,અવિનાશી,શાશ્વત,પ્રભુ અને ઈશ્વર છે.તે સિવાય બીજા ચંદ્ર,સૂર્ય,પૃથ્વી,જળ,વાયુ,અગ્નિ,આકાશ,ગ્રહો,તારાગણો-એ સર્વ નિમિત્ત વડે નાશ પામનારાં છે.તે સર્વ સર્વદા જગતનો ક્ષય થતાં જ,ત્રણ લોકનો ત્યાગ કરીને નાશ પામે છે અને ઉત્પત્તિ થતાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે.(5)




