Mar 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-764

 

અધ્યાય-૯૮-માતલિએ કરેલી વરની શોધ (ચાલુ)


II कण्व उवाच II मातलिस्तु व्रजन्मार्गे नारदेन महर्षिणा I वरुणं गच्छता द्रष्टुं सभागच्छद्यदच्छया II १ II

કણ્વ બોલ્યા-માતલિ જતો હતો,તે વખતે માર્ગમાં,વરુણને મળવા જતા મહર્ષિ નારદની સાથે તેનો દૈવેચ્છાથી મેળાપ થયો.

નારદે તેને પૂછ્યું-'હે સૂત,તું ક્યાં જવા નીકળ્યો છે?તું પોતાના કાર્ય માટે જાય છે કે ઇન્દ્રની આજ્ઞાથી જાય છે?'

ત્યારે માતલિએ,નારદને પોતાની ઈચ્છા કહી,એટલે નારદે કહ્યું-હું પણ વરુણનાં દર્શનથી ઈચ્છાથી નીકળ્યો છું,આપણે બંને ત્યાં સાથે જ જઈએ,હું તને પૃથ્વીનું તળિયું દેખાડીને ત્યાંની સર્વ હકીકત કહીશ.ત્યાં કોઈ યોગ્ય વરને આપણે બંને પસંદ કરીશું (5)

Mar 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-763

 

અધ્યાય-૯૭-માતલિએ કરેલી વરની શોધ 


II वैशंपायन उवाच II जामदग्न्यवचः श्रुत्वा कण्वोपी भगवानुषि:I दुर्योधनमिदं वाक्यमब्रवित्कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-પરશુરામનાં વચન સાંભળીને ભગવાન કણ્વ ઋષિ પણ કૌરવોની સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'આ લોકના પિતામહ બ્રહ્મા જેમ,અક્ષય ને અવિનાશી છે,તેમ,ભગવાન નરનારાયણ ઋષિ પણ અક્ષય અને અવિનાશી છે.અદિતિના સર્વ પુત્રોમાં એકલા વિષ્ણુ જ સનાતન,અજિત,અવિનાશી,શાશ્વત,પ્રભુ અને ઈશ્વર છે.તે સિવાય બીજા ચંદ્ર,સૂર્ય,પૃથ્વી,જળ,વાયુ,અગ્નિ,આકાશ,ગ્રહો,તારાગણો-એ સર્વ નિમિત્ત વડે નાશ પામનારાં છે.તે સર્વ સર્વદા જગતનો ક્ષય થતાં જ,ત્રણ લોકનો ત્યાગ કરીને નાશ પામે છે અને ઉત્પત્તિ થતાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે.(5)

Mar 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-762

 

અધ્યાય-૯૬-દંભોદભવનું આખ્યાન 


II वैशंपायन उवाच II तस्मिन्नभिहिते वाक्ये केशवेन महात्मना I स्तिमिता हृष्टरोमाण आसन्सर्वे सभासदः II १ II

વૈશંપાયને કહ્યું-મહાત્મા કેશવે,એ પ્રમાણે વચનો કહ્યાં,તે વખતે સર્વ સભાસદો રોમાંચિત થઈને સ્તબ્ધ થઇ ગયા,અને 'કોઈ પણ પુરુષ એ વચનોનો ઉત્તર આપવા કેમ ઉત્સાહ ધરાવતો નથી?' એમ સર્વ રાજાઓ મનમાં જ વિચારવા લાગ્યા.ત્યારે તે કૌરવોની સભામાં પરશુરામ કહેવા લાગ્યા કે-'હે ધૃતરાષ્ટ્ર રાજા,તું મારી આ દૃષ્ટાંતવળી સત્ય વાણીને નિઃશંક થઈને સાંભળ,ને તે સાંભળીને તને ઠીક લાગે તો તું તારા કલ્યાણ માટે ગ્રહણ કર.(4)

Mar 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-761

 

હે રાજન,યુદ્ધને માટે એકઠા થયેલા આ સર્વ રાજાઓ,ઉત્તમ કુળમાં જન્મેલા ને એકબીજાના સહાયક છે,તેઓને મહાભયમાંથી ઉગારો.આ આવેલા રાજાઓ,સુખથી એકબીજાને ભેટી,સાથે ભોજનપાન કરી,વૈર ને ઇર્ષાને દૂર કરીને,સત્કાર પામીને પોતપોતાના ઘેર જાય તેમ કરો.હે રાજન,પાંડવો બાળક હતા ત્યારે તમારી તેઓના પર જેવી પ્રીતિ હતી,તેવી જ પ્રીતિ હવે તમારી છેલ્લી અવસ્થામાં પણ રાખો અને તેઓની સાથે સંધિ કરો.પિતા વિનાના બાળક પાંડવોને તમે જ ઉછેર્યા હતા,માટે હમણાં પણ ન્યાય પ્રમાણે તેઓનું તથા પુત્રોનું પાલન કરો.આપત્તિમાં ખાસ કરીને તમારે જ તેઓનું રક્ષણ કરવું જોઈએ,હે રાજન તમારો ધર્મ અને અર્થ નાશ ન પામો.(39)

Mar 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-760

 

અધ્યાય-૯૫-શ્રીકૃષ્ણની શિખામણ

II वैशंपायन उवाच II तेष्वासीनेषु सर्वेषु तुष्णार्भुतेषु राजसु I वाक्यमभ्याददे कृष्णः सुदंष्टो दुन्दुभिस्वनः II १ II

વૈશંપાયને કહ્યું-તે સર્વ રાજાઓ આસનો પર શાંત થઈને બેઠા,પછી,સુંદર દંતપંક્તિવાળા તથા દુંદુભિના જેવા સાદવાળા,લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના તરફ જોઈને,વર્ષાઋતુના મેઘના જેવી ગર્જનાથી,સર્વ સભાને સંભળાવતા કહેવા લાગ્યા કે-'હે ભરતવંશી રાજા,વીર પુરુષોનો વિનાશ થયા વિના,કૌરવ-પાંડવોની વચ્ચે સલાહ થાય,એવી માગણી કરવા માટે હું અહીં આવ્યો છું.મારે તમારા હિતને માટે એ વિના બીજું વચન કહેવાનું નથી.હે રાજા,આજે આ કુરૂકૂળ,સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ છે,શાસ્ત્રજ્ઞાન અને સદવર્તનથી સંપન્ન છે અને ગુણોથી ઝળકી રહેલું છે.આવા સદગુણવાળા,કુળમાં ખાસ કરીને તમારા જ નિમિત્તે દયા,વગેરેથી વિરુદ્ધ વર્તન થાય તે કુરૂકૂળને યોગ્ય નથી.(7)

Mar 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-759

 

અધ્યાય-૯૪-શ્રીકૃષ્ણનો સભામાં પ્રવેશ 


II वैशंपायन उवाच II तथा कथयतोरेव तयोर्बुध्धिमतोस्तदा I शिवा नक्षत्रसंपन्ना सा व्यतीयाय शर्वरी II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બંને બુદ્ધિમાનોની સુખકારક તથા નક્ષત્રોવાળી રાત્રિ વીતી ગઈ.રાત્રિ પુરી થતાં જ,ઉત્તમ સ્વરવાળા સૂત તથા માગધોએ સ્તુતિથી અને શંખ દુંદુભીઓના સ્વરોથી શ્રીકૃષ્ણને જાગ્રત કર્યા.શ્રીકૃષ્ણે ઉઠયા પછી નિત્યકર્મ કર્યું અને તે સંધ્યા કરતા હતા તે વખતે દુર્યોધન અને શકુનિ ત્યાં આવ્યા અને તેમને કૃષ્ણને કહ્યું કે-'સભામાં,ધૃતરાષ્ટ્ર,

ભીષ્મ આદિ સર્વ રાજાઓ આવ્યા છે,હે ગોવિંદ,સ્વર્ગમાં જેમ ઇન્દ્રની વાટ જુએ તેમ તે તમારી રાહ જુએ છે'