અધ્યાય-૯૮-માતલિએ કરેલી વરની શોધ (ચાલુ)
II कण्व उवाच II मातलिस्तु व्रजन्मार्गे नारदेन महर्षिणा I वरुणं गच्छता द्रष्टुं सभागच्छद्यदच्छया II १ II
કણ્વ બોલ્યા-માતલિ જતો હતો,તે વખતે માર્ગમાં,વરુણને મળવા જતા મહર્ષિ નારદની સાથે તેનો દૈવેચ્છાથી મેળાપ થયો.
નારદે તેને પૂછ્યું-'હે સૂત,તું ક્યાં જવા નીકળ્યો છે?તું પોતાના કાર્ય માટે જાય છે કે ઇન્દ્રની આજ્ઞાથી જાય છે?'
ત્યારે માતલિએ,નારદને પોતાની ઈચ્છા કહી,એટલે નારદે કહ્યું-હું પણ વરુણનાં દર્શનથી ઈચ્છાથી નીકળ્યો છું,આપણે બંને ત્યાં સાથે જ જઈએ,હું તને પૃથ્વીનું તળિયું દેખાડીને ત્યાંની સર્વ હકીકત કહીશ.ત્યાં કોઈ યોગ્ય વરને આપણે બંને પસંદ કરીશું (5)