અધ્યાય-૧૦૦-હિરણ્યપુરનું વર્ણન
II नारद उवाच II हिरण्यपुरमित्येतत् ख्यातं पुरवरं महत् I दैत्यानां दानवानां च मायाशतविचारिणां II १ II
નારદે કહ્યું-સેંકડો માયા સાથે સંચાર કરનારા દૈત્યો અને દાનવોનું આ હિરણ્યપુર નામથી પ્રખ્યાત મહાશ્રેષ્ઠ નગર છે.
પાતાળ તળમાં આવેલા એ નગરની પ્રથમ મયદાનવે મનથી જ કલ્પના કરી અને તે પછી વિશ્વકર્માએ તેની રચના કરી છે.એ નગરમાં પૂર્વે વરદાનો મેળવનારા,મોટા બળવાન અને હજારો માયા કરનારા શૂરા દાનવો નિવાસ કરે છે.ઇન્દ્ર,યમ,વરુણ,કુબેર તથા બીજાઓ એ દાનવોને વશ કરી શકતા નથી.એ નગરમાં કાલખંજ અસુરો,વિષ્ણુના ચરણથી ઉત્પન્ન થયેલા અસુરો,નૈઋતો,
યાતુધાનો,અને બ્રહ્માના ચરણથી ઉત્પન્ન થયેલા અસુરો,કે જેઓ મોટી દાઢવાળા,ભયંકર વેગવાળા,માયાબળથી સંપન્ન છે,તેઓ
નિવાસ કરે છે.વળી,યુદ્ધ કરવામાં દુષ્ટ,નિવાતકવચ નામના દાનવો પણ અહીં જ રહે છે.એ દાનવોથી તું,તારો પુત્ર ગોમુખ તથા પુત્રસહિત ઇન્દ્ર પણ ઘણી વખત નાસી છૂટયા છો,એ તું જાણે જ છે (8)