અધ્યાય-૧૦૩-નાગલોકનું વર્ણન
II नारद उवाच II इयं भोगवती नाम पुरी वासुकिपालिता I यादशि देवराजस्य पुरीवर्याअमरावती II १ II
નારદે કહ્યું-જેવી,દેવરાજ ઇન્દ્રની શ્રેષ્ઠ અમરાવતી નગરી છે તેવી વાસુકિએ પાલન કરેલી આ 'ભોગવતી' નામની નગરી છે.
જે,શેષનાગ,પોતાના તપ વડે પૃથ્વીને સર્વદા ધારણ કરે છે તે અહીં રહેલા છે.મહાબળવાન શેષનાગનો દેહ ધવલગિરિના જેવો તથા દિવ્ય અલંકારોથી શોભાયમાન છે,એમને હજાર ફણાઓ છે ને અગ્નિની જ્વાળા જેવી જિહવાઓ છે.આ નગરીમાં અનેક પ્રકારના આકારવાળા,સુરસાના પુત્ર નાગો,નિર્ભય થઈને નિવાસ કરે છે.તેઓના દેહ પર મણિ,સાથીઆ,ચક્ર ને કમંડલુનાં ચિહ્નો છે,તેઓ હજારોની સંખ્યામાં છે અને તે સર્વે બળવાન ને ભયંકર સ્વભાવવાળા છે (5)