અધ્યાય-૧૦૫-વિષ્ણુએ ગરુડનો ગર્વ ઉતાર્યો
II कण्व उवाच II गरुडस्तत्र शुश्राव यथावृतं महाबलः I आयुःप्रदानं शक्रेण कृतं नागस्य भारत II १ II
કણ્વ બોલ્યા-હે ભરતવંશી,ઇન્દ્રે નાગને આયુષ્ય આપ્યું એ સાંભળી,ક્રોધાયમાન થયેલો ગરુડ,ઇન્દ્ર પાસે દોડી આવી કહેવા લાગ્યો કે-'હે ભગવન,તમે અપમાન કરીને મારી આજીવિકા શા માટે નષ્ટ કરી? તમે મને યચેચ્છ વર્તનનો વર આપ્યો હતો અને હવે એ વચનથી કેમ ડગી જાઓ છો? અમારી જાતિને માટે સર્પોનો સ્વાભાવિક આહાર નિર્માણ કરેલો છે તે તમે શા માટે અટકાવો છો? વળી,મેં સુમુખનો આહાર કરવાનો નિશ્ચય કર્યો હતો,ને એના દેહ વડે મારે મારા મોટા પરિવારનું પોષણ કરવાનું હતું.પણ તમે એને લાબું આયુષ્ય આપી દીધું.





