Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 31, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-773
અધ્યાય-૧૧૧-ઉત્તર દિશાનું વર્ણન
II गरुड उवाच II यस्मादुत्तार्यते पापाद्यस्मान्निः श्रेय्सोश्नुते I अस्मादुत्तारणबलादुत्तरेत्युच्यते द्विज II १ II
ગરુડે કહ્યું-હે દ્વિજ,આ દિશા પુરુષને પાપમાંથી તારે છે ને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે,આ ઉદ્ધાર કરવાના સામર્થ્યને લીધે એ ઉત્તર દિશા કહેવાય છે.આ દિશા ઉત્તમ સુવર્ણની ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશાની વચ્ચે જઈને જનારો સ્વર્ગમાર્ગ કહેવાય છે.
આ દિશામાં ક્રૂર,અવશ ચિત્તવાળા અને અધર્મી લોકોને સ્થાન મળતું નથી.આ દિશામાં બ્રહ્મા અને વિષ્ણુ બદરિકાશ્રમમાં વાસ કરે છે.આદિપુરુષ મહાદેવ પણ પ્રકૃતિરૂપ પાર્વતીની સાથે આ દિશામાં જ હિમાલયની સપાટી ઉપર નિત્ય નિવાસ કરે છે.તે મહાદેવને નરનારાયણ સિવાય બીજા મુનિગણો,ઇન્દ્રસહિત દેવો,ગંધર્વો કે સિદ્ધો પણ જોઈ શકતા નથી.(6)
Mar 30, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-772
અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન
II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II
ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.
ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,
Mar 29, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-771
અધ્યાય-૧૦૭-ગાલવનો શોક
II नारद उवाच II एवमुक्तस्तदा तेन विश्वामित्रेण धीमता I नास्ते न शेते नाहारं कुरुते गालवस्तदा II १ II
નારદે કહ્યું-બુદ્ધિમાન વિશ્વામિત્રે એ પ્રમાણે કહ્યું તે વખતથી ગાલવ,નિશ્ચિન્તપણાથી સૂતો નહોતો કે આહાર પણ કરતો નહતો.તેનું શરીર માત્ર હાડકાં -ચામડાંરૂપે જ બાકી રહ્યું.તે દુઃખને વિલાપ કરતો કે-મારે ધનાઢ્ય મિત્રો નથી અને મારી પાસે ધન પણ નથી તો આવા આઠસો ઘોડા ક્યાંથી મળે? મારી જીવવાની શ્રદ્ધા પણ હવે નાશ પામી છે અને મારે જીવનનું શું પ્રયોજન છે? હું ગુરુની પાસેથી પોતાનું કાર્ય સાધી લઈને હવે તેમનું કહેલું કાર્ય કરતો નથી તેથી હું,પાપી,કૃતઘ્ન,કૃપણ,તથા જુઠ્ઠો ઠર્યો છું.માટે હું અતિ પ્રયત્ન કરીને પ્રાણોનો ત્યાગ કરીશ.મેં આજ સુધી કોઈ વખતે પણ દેવોની પાસે કોઈ યાચના કરી નથી,તેથી દેવો મને યજ્ઞ ચાલતો હોય ત્યારે માન આપે છે,માટે તેઓની પાસે યાચના કરવી ઠીક નથી.પણ કદી હું હવે દેવ શ્રેષ્ઠ વિષ્ણુને શરણે જાઉં,કે જેમનાથી સર્વ દેવ તથા દૈત્યોને પહોંચી વળે તેટલા વૈભવો ઉત્પન્ન થાય છે.
Mar 28, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-770
અધ્યાય-૧૦૬-ગાલવ ચરિત્ર-વિશ્વામિત્રની પરીક્ષા
II जनमेजय उवाच II अनर्थे जातनिर्बन्धं परार्थे लोभमोहितं I अनार्यकेष्व भिरतं मरणे कृतनिश्चयम् II १ II
જન્મેજયે પૂછ્યું-અનર્થમાં હઠે ભરાયેલો,પરદ્રવ્યમાં લોભને લીધે મોહિત થયેલો,અનાર્યોમાં પ્રીતિવાળો,મરણને માટે નિશ્ચય કરી બેઠેલો,જ્ઞાતિજનોને દુઃખ કરનારો,બંધુઓના શોકને વૃદ્ધિ પમાડનારો,સ્નેહીઓને ક્લેશ આપનારો અને શત્રુઓના હર્ષમાં વધારો કરનારો દુર્યોધન,આડે માર્ગે જતો હતો,છતાં બાંધવોએ તેને વાર્યો કેમ નહિ? કોઈ પ્રેમાળ સ્નેહીએ કે પિતામહ ભગવાન વ્યાસે પણ સ્નેહને લીધે તેને કેમ વાર્યો નહિ?
વૈશંપાયન બોલ્યા-તેને વ્યાસે કહ્યું,ભીષ્મે પણ જેટલું કહેવાય તેટલું કહ્યું અને પછી,નારદે પણ જે વચન કહ્યું તે સાંભળો.(4)
Mar 27, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-769
અધ્યાય-૧૦૫-વિષ્ણુએ ગરુડનો ગર્વ ઉતાર્યો
II कण्व उवाच II गरुडस्तत्र शुश्राव यथावृतं महाबलः I आयुःप्रदानं शक्रेण कृतं नागस्य भारत II १ II
કણ્વ બોલ્યા-હે ભરતવંશી,ઇન્દ્રે નાગને આયુષ્ય આપ્યું એ સાંભળી,ક્રોધાયમાન થયેલો ગરુડ,ઇન્દ્ર પાસે દોડી આવી કહેવા લાગ્યો કે-'હે ભગવન,તમે અપમાન કરીને મારી આજીવિકા શા માટે નષ્ટ કરી? તમે મને યચેચ્છ વર્તનનો વર આપ્યો હતો અને હવે એ વચનથી કેમ ડગી જાઓ છો? અમારી જાતિને માટે સર્પોનો સ્વાભાવિક આહાર નિર્માણ કરેલો છે તે તમે શા માટે અટકાવો છો? વળી,મેં સુમુખનો આહાર કરવાનો નિશ્ચય કર્યો હતો,ને એના દેહ વડે મારે મારા મોટા પરિવારનું પોષણ કરવાનું હતું.પણ તમે એને લાબું આયુષ્ય આપી દીધું.




