અધ્યાય-૧૩૧-વિશ્વરૂપનું દર્શન
II वैशंपायन उवाच II विदूरेणैवमक्त्स्तु केशवः शतपुगहा I दुर्योधनं धार्तराभम्यभषत वीर्यवान II १ II
વૈશંપાયને કહ્યું-વિદુરે એ પ્રમાણે વર્ણવેલા એવા,શત્રુસમૂહને હણનાર તે વીર્યવાન શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન પ્રત્યે બોલ્યા કે-'હે અતિદુર્બુદ્ધિવાળા દુર્યોધન,તું મોહને લીધે હું એકલો છું-એમ માને છે અને મને પકડવાની ઈચ્છા કરે છે,પરંતુ જો તો ખરો કે સર્વ પાંડવો,સર્વ અંધકો,યાદવો,આદિત્યો,રુદ્રો,વસુઓ ને મહર્ષિઓ અહીં મારામાં જ છે' આમ કહી શ્રીકૃષ્ણે ખડખડાટ હાસ્ય કર્યું.તે જ વખતે શ્રીકૃષ્ણનાં અંગોમાંથી વીજળીના જેવા રૂપવાળા,અંગુઠા જેવડા દેહવાળા અને અગ્નિની જ્વાળા જેવા તેજસ્વી સર્વ દેવો પ્રગટ થયા.