અધ્યાય-૧૩૨-કુંતીએ સંદેશો કહ્યો
II वैशंपायन उवाच II प्रविश्याथ गृहं तस्याश्चरणावभिवाद्य च I आचख्यौ तत्समासेन यद्व्रुत्तं कुरुसंसदि II १ II
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કુંતીના ઘરમાં પ્રવેશ કરીને,તેમના ચરણમાં પ્રણામ કર્યા અને કુરુસભામાં જે વૃતાન્ત થયો હતો તે કહ્યો.
વાસુદેવે કહ્યું કે-મેં તથા બીજા સર્વેએ હેતુવાળાં અને ગ્રહણ કરવા યોગ્ય બહુ પ્રકારના વચનોઓ કહ્યાં પણ દુર્યોધને તે સ્વીકાર્યાં નહિ,એ પરથી સમજાય છે કે,દુર્યોધનને અનુસરનારા સર્વે કાળ વડે પરિપક્વ થઇ ગયા છે.હવે હું તમારી રજા લઈશ અને ત્વરાથી પાંડવો પાસે જઈશ,માટે તમારે જે પાંડવોને કહેવું હોય તે મને કહો.હું તમારું કહેવું સાંભળવા ઈચ્છું છું.