અધ્યાય-૧૩૩-વિદુલાનો પુત્રને ઉપદેશ
II कुन्त्युवाच II अत्राप्युदाहरंतिममितिहासं पुरातनम् I विदुलायाश्च संवादं पुत्रस्य च परंतप II १ II
કુંતીએ કહ્યું-હે કૃષ્ણ,આ વિષયમાં વિદુલા અને તેના પુત્રના સંવાદરૂપ એક પુરાતન ઇતિહાસ કહેવામાં આવે છે.
આ સંવાદ મારાં વાક્યો કરતાં પણ શ્રેષ્ઠ અને વિશાળ છે,માટે એ તમારે યુધિષ્ઠિરને સંપૂર્ણ કહેવો.
પૂર્વે,વિદુલા નામે એક યશસ્વિની ક્ષત્રિયાણી હતી,તે કુલીન,દીનતાવાળી,ક્ષાત્રધર્મમાં તત્પર,ઉગ્ર સ્વભાવવાળી,દીર્ઘ દ્રષ્ટિવાળી,યશસ્વી ને પંડિતા હતી.એક વખતે,સિંધુરાજાથી હારીને ચિત્તમાં ખિન્ન થઈને સૂતેલા પોતાના ઔરસ પુત્રની નિંદા કરતી તે તેને કહેવા લાગી કે-