Apr 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-789

 

અધ્યાય-૧૩૩-વિદુલાનો પુત્રને ઉપદેશ 


II कुन्त्युवाच II अत्राप्युदाहरंतिममितिहासं पुरातनम् I विदुलायाश्च संवादं पुत्रस्य च परंतप II १ II

કુંતીએ કહ્યું-હે કૃષ્ણ,આ વિષયમાં વિદુલા અને તેના પુત્રના સંવાદરૂપ એક પુરાતન ઇતિહાસ કહેવામાં આવે છે.

આ સંવાદ મારાં વાક્યો કરતાં પણ શ્રેષ્ઠ અને વિશાળ છે,માટે એ તમારે યુધિષ્ઠિરને સંપૂર્ણ કહેવો.

પૂર્વે,વિદુલા નામે એક યશસ્વિની ક્ષત્રિયાણી હતી,તે કુલીન,દીનતાવાળી,ક્ષાત્રધર્મમાં તત્પર,ઉગ્ર સ્વભાવવાળી,દીર્ઘ દ્રષ્ટિવાળી,યશસ્વી ને પંડિતા હતી.એક વખતે,સિંધુરાજાથી હારીને ચિત્તમાં ખિન્ન થઈને સૂતેલા પોતાના ઔરસ પુત્રની નિંદા કરતી તે તેને કહેવા લાગી કે-

Apr 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-788

 

અધ્યાય-૧૩૨-કુંતીએ સંદેશો કહ્યો 


II वैशंपायन उवाच II प्रविश्याथ गृहं तस्याश्चरणावभिवाद्य च I आचख्यौ तत्समासेन यद्व्रुत्तं कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કુંતીના ઘરમાં પ્રવેશ કરીને,તેમના ચરણમાં પ્રણામ કર્યા અને કુરુસભામાં જે વૃતાન્ત થયો હતો તે કહ્યો.

વાસુદેવે કહ્યું કે-મેં તથા બીજા સર્વેએ હેતુવાળાં અને ગ્રહણ કરવા યોગ્ય બહુ પ્રકારના વચનોઓ કહ્યાં પણ દુર્યોધને તે સ્વીકાર્યાં નહિ,એ પરથી સમજાય છે કે,દુર્યોધનને અનુસરનારા સર્વે કાળ વડે પરિપક્વ થઇ ગયા છે.હવે હું તમારી રજા લઈશ અને ત્વરાથી પાંડવો પાસે જઈશ,માટે તમારે જે પાંડવોને કહેવું હોય તે મને કહો.હું તમારું કહેવું સાંભળવા ઈચ્છું છું.

Apr 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-787

 

અધ્યાય-૧૩૧-વિશ્વરૂપનું દર્શન 


II वैशंपायन उवाच II विदूरेणैवमक्त्स्तु केशवः शतपुगहा I दुर्योधनं धार्तराभम्यभषत वीर्यवान II १ II

વૈશંપાયને કહ્યું-વિદુરે એ પ્રમાણે વર્ણવેલા એવા,શત્રુસમૂહને હણનાર તે વીર્યવાન શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન પ્રત્યે બોલ્યા કે-'હે અતિદુર્બુદ્ધિવાળા દુર્યોધન,તું મોહને લીધે હું એકલો છું-એમ માને છે અને મને પકડવાની ઈચ્છા કરે છે,પરંતુ જો તો ખરો કે સર્વ પાંડવો,સર્વ અંધકો,યાદવો,આદિત્યો,રુદ્રો,વસુઓ ને મહર્ષિઓ અહીં મારામાં જ છે' આમ કહી શ્રીકૃષ્ણે ખડખડાટ હાસ્ય કર્યું.તે જ વખતે શ્રીકૃષ્ણનાં અંગોમાંથી વીજળીના જેવા રૂપવાળા,અંગુઠા જેવડા દેહવાળા અને અગ્નિની જ્વાળા જેવા તેજસ્વી સર્વ દેવો પ્રગટ થયા.

Apr 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-786

 

અધ્યાય-૧૩૦-દુર્યોધનનો દુર્વિચાર અને તેની ઝાટકણી 


II वैशंपायन उवाच II तत्तु वाक्यमनादत्य सोर्थवन्मातृभाषितम् I पुनः प्रतस्थे संरंभात्सकाशमकृतात्मना II १ II

વૈશંપાયને કહ્યું-પછી,તે દુર્યોધન,માતાનાં કહેલાં વચનનો અનાદર કરીને પાછો તેના મંત્રીઓની પાસે ચાલ્યો ગયો.અને ત્યાં કર્ણ,શકુનિ,દુઃશાસન સાથે મળીને તેણે વિચાર કર્યો કે-'આ ચાલાક કૃષ્ણ,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મની સાથે મળીને પ્રથમ આપણને પકડી લેવા ધારે છે પરંતુ,જેમ,ઇન્દ્રે બલિને બળાત્કારથી બાંધી લીધો હતો તેમ,આપણે જ પ્રથમ તે કૃષ્ણને બળાત્કારથી બાંધી લઈએ.કૃષ્ણને કેદ કરેલા સાંભળીને પાંડવોનાં મન ભાગી જશે ને ઉત્સાહ વિનાના થઇ જશે.માટે ચાલો આપણે તે કૃષ્ણને અહીં જ બાંધી લઈએ,પછી યુદ્ધ કરીશું,એ ધૃતરાષ્ટ્ર ભલે બૂમો માર્યા કરે'

Apr 12, 2025

Sundar Kaand-Gujarati-With Translation-સુંદરકાંડ-અર્થ સાથે


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-785

 

અધ્યાય-૧૨૯-ગાંધારીનું ભાષણ 


II वैशंपायन उवाच II कृष्णस्य तु वचः श्रुत्वा धृतराष्ट्रो जनेश्वरः I विदुरं सर्वधर्मज्ञं त्वरप्राणोभ्यभाषत II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર રાજા,ઉતાવળથી વિદુરને કહેવા લાગ્યા કે-તું જા,ને ગાંધારીને બોલાવી લાવ.એટલે તેની સાથે મળીને દુર્યોધનને સમજાવું.ગાંધારી જો એ દુષ્ટચિત્ત દુરાત્માને શાંત પાડે તો પછી,આપણે સર્વ શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે કરી શકીએ' પછી,વિદુર જઈને ગાંધારીને બોલાવી લાવ્યા,ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-'મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો.દુરાત્મા દુર્યોધન,ઐશ્વર્યના લોભથી જીવિતનો ત્યાગ કરશે.મર્યાદા વિનાનો તે મૂર્ખ,સ્નેહીઓનાં વચનોનો અનાદર કરીને હમણાં પાપીઓની સાથે ઉદ્ધત થઈને સભામાંથી નીકળી ગયો છે' ત્યારે ગાંધારીએ કહ્યું કે-(9)