અધ્યાય-૮૭-આઠમો દિવસ-સૈન્યોની વ્યૂહરચના
॥ संजय उवाच ॥ परिणाना निशां तां तु सुखं प्राप्ताजनेश्वराः I कुरवः पांडवाश्चैव पुनर्युध्धाय निर्ययु:॥१॥
સંજયે કહ્યું-એ રાત્રિને વિતાવીને સુખ પામેલા કૌરવ અને પાંડવ પક્ષના રાજાઓ ફરી યુદ્ધ કરવા નીકળી પડ્યા.ત્યારે સમુદ્રના ઘુઘવાટા સમાન મહાન શબ્દ થઇ રહ્યો.દુર્યોધન,ચિત્રસેન,વિવીંશાંતિ,ભીષ્મ,દ્રોણ-વગેરે એકત્ર થઈને સાવધાનીપૂર્વક વિચાર કરીને ભીષ્મે મહાસાગર નામનો વ્યૂહ રચ્યો.તેઓ પોતે માલવો,આવંત્યો આદિ રાજાઓ સહીત મોખરે રહ્યા,તેમની પાછળ માલવ-આદિ યોદ્ધાઓ સાથે દ્રોણ રહ્યા.મગધ,કલિંગ-આદિ રાજાઓ સાથે ભગદત્ત તેમની પાછળ રહ્યો.તેની પાછળ મેકલ,ત્રૈપુર આદિ યોદ્ધાઓ સહીત બૃહદબલ ઉભો.તેની પાછળ કામ્બોજ અને યવન યોદ્ધાઓ સાથે સુશર્મા (ત્રિગર્ત) ઉભો.તેની પાછળ અશ્વત્થામા ને તેની પાછળ દુર્યોધન ભાઈઓથી વીંટાઇને કૃપાચાર્ય ઉભા હતા.





