Oct 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-966

 

અધ્યાય-૮૩-સાતમો દિવસ (ચાલુ) દ્વંદ્વયુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ बहूनि हि विचित्राणि द्वैरथानिस्म संजय I पांडुनां मामकै: सार्धमश्रोषं तव जल्पतः ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,'પાંડવોનાં મારા પુત્રો સાથે વિચિત્ર એવાં ઘણાં દ્વંદ્વયુદ્ધો થયાં' એમ કહેતા તારી પાસેથી મેં સાંભળ્યું.પણ મારા પક્ષના યોદ્ધાઓમાં કોઈને આનંદ થયો-એમ તો તું કહેતો જ નથી અને પાંડવોને હંમેશા આનંદ પામેલા અને અપરાજિત કહ્યા કરે છે.તું મારા પુત્રોને તો સંગ્રામમાં હારેલા,ઉદાસીન મતવાલા અને નિસ્તેજ જ કહ્યા કરે છે,એનું કારણ પ્રારબ્ધ જ છે.

Oct 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-965

 

અધ્યાય-૮૨-સાતમો દિવસ (ચાલુ) દ્વૈરથ યુદ્ધ 


॥ संजय उवाच ॥ तथा प्रवृत्ते संग्रामे निवृत्ते च सुशर्मणि I भग्नेषु चापि वीरेषु पाण्डवेन महात्मना ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો અને સુશર્મા જયારે પાછો હટ્યો ત્યારે ભીષ્મ અર્જુન સામે ત્વરાથી ધસી ગયા.અર્જુનનું પરાક્રમ જોઈને દુર્યોધને સર્વ રાજાઓને અને સુશર્માને,ભીષ્મનું રક્ષણ કરવાનું કહ્યું.એટલે તે સર્વ રાજાઓ ભીષ્મની પાછળ ગયા.સામે ધસી આવતા અર્જુનને જોઈને તમારા સર્વ સૈન્યમાં તુમુલ શબ્દ થયો.તે જ રીતે ભીષ્મને ધસી આવતા જોઈને પાંડવ સૈન્યમાં પણ અનેક પોકારો થયા.અર્જુન અને ભીષ્મ વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.

Oct 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-964

 

પરમ દુર્જય એવો શત્રુઓનો મંડળવ્યૂહ જોઈને યુધિષ્ઠિરે વજ્રવ્યૂહ રચ્યો કે જે મુજબ સર્વ સૈન્ય ગોઠવાઈ રહ્યું.પોતપોતાના સ્થાન પર ઉભેલા સર્વ રથીઓ,ઘોડેસ્વારો સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા.ને પછી યુદ્ધ માટે નીકળી પડ્યા.

દ્રોણાચાર્ય વિરાટરાજા સામે,અશ્વત્થામા શિખંડી સામે,દુર્યોધન ધૃષ્ટદ્યુમ્ન સામે,નકુલ-સહદેવ મામા શલ્ય સામે આવી ગયા.

વીંદ-અનુવીન્દ ઈરાવાન સામે અને બાકી રહેલા સર્વ રાજાઓ અર્જુન સામે લડવા લાગ્યા.રણસંગ્રામમાં આગળ વધતા હૃદિકના પુત્રને,ચિત્રસેનને,વિકર્ણને તથા દુર્મુશણને ભીમસેને અટકાવી દીધા.અભિમન્યુ તમારા પુત્રો સામે લડતો હતો.

Oct 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-963

 

અધ્યાય-૮૧-સાતમો દિવસ-વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ अथात्मजं तव पुनरगांगेयोध्यानमास्थितम् I अब्रवीभ्दरतश्रेष्ठः संप्रहर्षकरं वचः ॥१॥ 

સંજયે કહ્યું-પછી,વિચારમાં પડી ગયેલા તમારા પુત્ર દુર્યોધનને,ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહ હર્ષ ઉપજાવનારાં વચનો કહેવા લાગ્યા-'હું,દ્રોણ,શલ્ય,કૃતવર્મા,અશ્વત્થામા,વિકર્ણ,ભગદત્ત,શકુની,વીંદ-અનુવીંદ,બૃહદબલ,ચિત્રસેન,વીવિંશતિ,બાહલીક દેશનો રાજા,ત્રિગર્ત દેશનો રાજા,મગધ દેશનો રાજા અને અનેક સુંદર રથો,ઘોડાઓ,હાથીઓ,હથિયારો,પાળાઓ તારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે.વળી,આ સર્વ રણમાં દેવોને પણ જીતી લેવા સમર્થ છે એમ હું માનું છું.હે દુર્યોધન,મારે તને હંમેશાં હિતવચન જ કહેવું જોઈએ કે દેવોથી પણ તે પાંડવો જીતી શકાય તેમ નથી કેમકે તેમને શ્રીકૃષ્ણની સહાય છે.છતાં,હું તારા કહ્યા પ્રમાણે જ કરીશ.હું મરણીયો થઈને લડીશ ને પાંડવોને રણસંગ્રામમાં જીતીશ કે કદાચ તેઓ મને જીતે' આમ કહી ભીષ્મે દુર્યોધનને ઘા રૂઝાવી દેનાર સુંદર ઔષધિ આપી,તેનાથી તે એકદમ શસ્ત્રોની પીડાથી રહિત થયો.

Oct 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-962

 

અધ્યાય-૮૦-દુર્યોધન અને ભીષ્મનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ शूरा महाराज परस्पर कृतागस: I जग्मुः स्वशिबिराण्येव रुधिरेण समुक्षिताः ॥१॥ 

સંજયે કહ્યું-હે મહારાજ,એકબીજા પર વૈર રાખતા અને લોહીથી છંટાયેલા એ શૂરા યોદ્ધાઓ પોતપોતાની છાવણી તરફ ગયા.આખી રાત્રિ વિશ્રાંતિ લઇ,પરસ્પર સન્માન કરી અને યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલા તેઓ દેખાયા.ત્યાર પછી,ચિંતાથી યુક્ત થયેલો તમારો પુત્ર દુર્યોધન ભીષ્મપિતામહ પાસે જઈને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,રૌદ્ર અને ભયંકર એવાં આપણાં સૈન્યો દૃઢ વ્યૂહમાં રચેલાં અને મોટી ધ્વજાવાળાં  છે છતાં પાંડવોના સાહસી યોદ્ધાઓ,વ્યૂહરચનાને તોડીને આપણને મારી જાય છે.વળી તેઓએ આપણને મોહિત કરીને વજ્રસમાન મકરવ્યૂહ પણ ભેદી નાખ્યો ને ભીમસેને આપણા સૈન્યમાં પ્રવેશ કરીને કાળદંડ સમાન ઘોર બાણોથી મને માર્યો છે,તેના ક્રોધથી હું ભયભીત થયો છું,ને મને શાંતિ મળતી નથી.માટે હે પિતામહ,તમારા પ્રસાદથી જ હું જય મેળવવાની ને પાંડવોના નાશની ઈચ્છા રાખું છું'

Oct 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-961

 

અધ્યાય-૭૯-છઠ્ઠો દિવસ સમાપ્ત 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राज लोहितायति भास्करे I संग्राममरभसो भीमं हन्तुकामोभ्यधावत ॥१॥ 

સંજયે કહ્યું-તે પછી,સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોવાથી રક્ત વર્ણનો થવા લાગ્યો ત્યારે દુર્યોધન,ભીમને મારવાની ઈચ્છાથી ઉતાવળો થઈને દોડ્યો.પોતાના કટ્ટર દુશ્મન દુર્યોધનને આવતો જોઈને ભીમ તેને ક્રોધ પૂર્વક કહેવા લાગ્યો કે-'વર્ષોથી જે સમય ઇચ્છેલો તે આજે આવી પહોંચ્યો છે.આજે હું તને મારીને માતા કુંતીના ક્લેશને ને અમારા વનવાસના ને દ્રૌપદીના દુઃખોને દૂર કરીશ.પૂર્વે કર્ણના ને શકુનિના મત પર આધાર રાખીને ને પાંડવોને હિસાબમાં નહિ ગણીને તેં તારી ઈચ્છા મુજબ વર્તન કરીને,શ્રીકૃષ્ણનું પણ અપમાન કર્યું છે.હું આજે તારા કુટુંબ સહીત તારો નાશ કરીશ ને તારાં પાપોનો બદલો વાળીશ'