અધ્યાય-૮૪-સાતમો દિવસ (ચાલુ) સુશર્મા અને અર્જુનનો સમાગમ
॥ संजय उवाच ॥ ततो युधिष्ठिरो राज मध्यं प्राप्ते दिवाकरे I श्रुतयुषममिप्रेक्ष्य प्रेषयामास वाजिनः ॥१॥
સંજયે કહ્યું-સૂર્યનારાયણ જયારે આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરે શ્રુતાયુષને જોઈને તેના તરફ પોતાના ઘોડાઓને હાંક્યા.ને તીક્ષ્ણ નવ બાણોથી પ્રહાર કરતા યુધિષ્ઠિર તેના તરફ ધસ્યા.સામે શ્રુતાયુષે પણ તેમના બાણોનું નિવારણ કરીને સાત બાણોથી યુધિષ્ઠિર પર પ્રહાર કર્યો કે જે બાણોએ યુધિષ્ઠિરનાં કવચોને તોડી નાખી તેમને લોહીલુહાણ કરી દીધા.
ક્રોધાયમાન થયેલા યુધિષ્ઠિરે વરાહના કાન જેવા આકારવાળા બાણથી તેના હૃદય પર પ્રહાર કર્યો ને બીજા બાણથી તેની ધ્વજાને તોડી નાખી.શ્રુતાયુષે સામે બીજાં સાત બાણ મૂકી યુધિષ્ઠિરને વીંધવા માંડ્યું.





