અધ્યાય-૧૯૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન
II धृतराष्ट्र उवाच II अधर्मेण हतं श्रुत्वा ध्रुष्टध्युम्नेन संजय I ब्राह्मणं पितरं वृद्वंमश्वत्थामा किमब्रवीत II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પોતાના વૃદ્ધ બ્રાહ્મણ પિતાને ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી મારી નાખ્યા તે સાંભળીને અશ્વત્થામા શું બોલ્યો?જેમની પાસે માનવ,વારુણ,આગ્નેય,ઐંદ્ર,અને નારાયણ આદિ દિવ્ય અસ્ત્રો નિત્ય રહેતાં હતાં તે પોતાના ધર્મનિષ્ઠ આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી રણમાં મારી નાખ્યા-એ સાંભળીને તે અશ્વત્થામાએ શું કહ્યું હતું?





