Aug 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-588

(૨૩) મૃત્યુ કોને બાધ કરતુ નથી?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી મેં,એ કાગડાઓમાં ઉત્તમ ભુશુંડ ને ફરીવાર પૂછ્યું કે-
હે પક્ષીઓના રાજાધિરાજ,જગતના કોશમાં ફર્યા કરતા
અને વ્યવહાર કરનારા લોકોને પણ મૃત્યુ નડે નહિ એવો કોઈ ઉપાય છે કે?

Aug 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-587

હે મહામુનિ,પ્રત્યેક યુગમાં વિચિત્ર ગોઠવણોવાળાં,જે જે આખ્યાનો અને જે જે શાસ્ત્રો થઇ ગયા છે-તે બધાનું મને સ્મરણ છે. પ્રત્યેક યુગમાં વારંવાર તેને તે -અને બીજા પણ થતા અનેક પદાર્થો મારા જોવામાં આવ્યા છે-તેનું પણ મને સ્મરણ છે.
વિષ્ણુ હવે રાક્ષસોનો વિનાશ કરવાને માટે "રામ" એ નામથી અગિયારમી વાર અવતરશે,એ મારા જાણવામાં છે.વિષ્ણુએ નૃસિંહનું રૂપ ધારણ કરી,હિરણ્યકશિપુ નામના દૈત્યને માર્યો છે.અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે વસુદેવ નામના યાદવને ઘેર,તે જ વિષ્ણુ નો સોળમો અવતાર પણ થવાનો છે.તે મારા જાણવામાં છે.