Aug 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-590

(૨૪) દેહમાંની નાડીઓ અને ચક્ર-વગેરેનું વર્ણન
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,સઘળાં જ્ઞાનોમાં,એક "બ્રહ્મ-વિદ્યા" જ અવિનાશી ફળને આપનારી,ભ્રાંતિ વગરની અને ઊંચાઈ વાળી હોવાથી,સઘળા અંશોમાં-શ્રેષ્ઠ છે.
સાક્ષાત્કાર પર્યંત,"આત્મ-વિચાર" જ સઘળાં દુઃખોનો અંત કરનાર છે,અને-
લાંબા કાળથી પ્રાપ્ત થયેલા સંસાર-રૂપી ખરાબ સ્વપ્નના ભ્રમને હરનાર છે.

Aug 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-589

હે મહામુનિ,જે આત્મ-લાભ,પરિણામમાં હિતકારી છે,સત્ય છે,અવિચલ છે,ભ્રાંતિથી રહિત છે,અને
ભોગોની તૃષ્ણા ને ઉત્પન્ન  થવા દેતો જ નથી,તે આત્મ-લાભમાં જ મનને તત્પર રાખવું જોઈએ.ચિત્તને વિહવળ કરી દેનારા દ્વૈત-રૂપી-પિશાચની દૃષ્ટિ જેના પર પડતી નથી,તે સુખમાં મન ને તત્પર કરવું જોઈએ.જે વસ્તુ,આદિ-મધ્ય અને અંતમાં,સુખકારી,મધુર અને દુઃખોનું નિવારણ કરનાર છે-અને- લાંબા કાળ સુધી અતિ-શાંતિ આપનાર છે-તે વસ્તુ (પરમ-તત્વ) માં જ મન ને તત્પર કરવું જોઈએ.