Aug 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-594

વાસ્તવમાં-પ્રાણ,જ અંદરના તથા બહારના-આકાશમાં-સૂર્ય-પણાને પામીને,પાછો પોતે જ આનંદ આપનાર ચન્દ્રપણાને પ્રાપ્ત થાય છે.અને એ પ્રાણ જ શરીરને ઉત્સાહ આપનારા ચંદ્રપણાને ત્યજી દઈને - ક્ષણ માત્રમાં શોષણ કરનારા સૂર્ય-પણાને પ્રાપ્ત થાય છે.
એટલે કે-પ્રાણ અને અપાન-પણું એ એક-પવન ના જ ધર્મો છે.

Aug 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-593

બહારથી અંદર આવેલો શ્વાસ પૂરો થયા પછી,જ્યાં સુધી હૃદયમાં ઉચ્છવાસ ઉદય પામ્યો ના હોય-ત્યાં સુધી ની અવસ્થા "કુંભક" કહેવાય છે.(કે જે માત્ર યોગીઓના અનુભવમાં આવે છે)
આવી જ રીતે બહાર (શરીરની બહાર) પણ રેચક-કુંભક-પૂરક ની અવસ્થા પ્રયત્ન વિના જ થાય છે.નાકની ટોચથી બહારનો બાર આંગળ-સુધીનો નીચેનો પ્રદેશ-કે જે શ્વાસને આવવાનું સ્થાન છે-તેમાં પણ સર્વદા યત્ન વગર જ પૂરક-કુંભક-રેચક-નામના ત્રણ સ્વભાવો થવાનું વિદ્વાનોએ જે કહ્યું છે,તે હું જણાવું છું.તેને તમે સાંભળો.