Aug 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-596

ચૈતન્ય-તત્વ કે જે પ્રકાશના પણ પ્રકાશ-રૂપ છે,સઘળી પવિત્ર વસ્તુઓને પણ પવિત્ર કરનાર છે-અને-મન તથા બુદ્ધિ-આદિ વિકારો થતાં પણ પોતાના સ્વભાવમાંથી ભ્રષ્ટ થતું નથી,
તે-ચૈતન્ય-રૂપ આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.
જે ચૈતન્ય તત્વ પ્રાણ-અપાન ના સંધી-કાળમાં ઉપાધિ-રહિત જણાઈ રહે છે-
તે ચૈતન્ય-રૂપ-આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.

Aug 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-595

અંદરના પ્રદેશમાં (હૃદયમાં) અપાન અસ્ત પામતાં અને પ્રાણ નો ઉદય થાય તે પહેલાં-જે કુંભક થાય છે-તેનું લાંબા કાળ સુધી અવલંબન કરવામાં આવે(એટલે કે પ્રાણ ના ઉદયને રોકવામાં આવે ) તો-ફરીવાર શોક કરવો પડતો નથી.