Sep 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-627

જીવપણું તથા જગત પણું કે જેઓ ખોટાં જ છે-પણ તેઓ વિષે વિવેક ને માટે પુછતા હો-તો સાંભળો કે-એ ચૈતન્ય જયારે  અવિદ્યા-રૂપ વિચિત્ર રંગ-વાળા ચશ્માને ધારણ કરે છે-ત્યારે "જીવ" એ નામ-વાળું થઈને,જીવ-પણા અને જગત-પણાને દેખે છે.અને પોતાના સંકલ્પ થી જ "હું જડ છું" એવી ભાવના કરીને,
પોતાથી જ પોતાના વિકલ્પોથી ભરેલા દેહાદિક-પણાને પ્રાપ્ત થાય છે.

Sep 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-626

જે બ્રહ્મ છે તે જ દૃશ્ય (જગત) વગેરે વિકારોની કલ્પનાથી પોતે જ દૃશ્ય-વિકારો-રૂપે "સ્ફુરે" છે,
એમ સિદ્ધાંત-પક્ષમાં માનવામાં આવે છે.(એટલે કે એવો સિદ્ધાંત બનાવેલો છે)
માટે કલ્પિત વિકારો અધિષ્ઠાન-રૂપ-સાર-વાળા હોવાને લીધે,અધિષ્ઠાન થી જુદા પડતા નથી.આ સઘળો વિકાર-વગેરે,વિકલ્પ-સદ-વસ્તુ (બ્રહ્મ)માંથી ઉઠીને જ જુદાજુદા કાર્યોમાં ઉપયોગી થવાથી,ભોગમાં મળી જાય છે,એમ ભોગનું ચૈતન્યમાં મિલન થાય છે.માટે સઘળા વિકલ્પોનો સાર ચૈતન્ય-માત્ર જ છે.