જીવપણું તથા જગત પણું કે જેઓ ખોટાં જ છે-પણ તેઓ વિષે વિવેક ને માટે પુછતા હો-તો સાંભળો કે-એ ચૈતન્ય જયારે અવિદ્યા-રૂપ વિચિત્ર રંગ-વાળા ચશ્માને ધારણ કરે છે-ત્યારે "જીવ" એ નામ-વાળું થઈને,જીવ-પણા અને જગત-પણાને દેખે છે.અને પોતાના સંકલ્પ થી જ "હું જડ છું" એવી ભાવના કરીને,
પોતાથી જ પોતાના વિકલ્પોથી ભરેલા દેહાદિક-પણાને પ્રાપ્ત થાય છે.