Apr 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-797

અજ્ઞાની પુરુષોએ,પોતાના ચિત્તને જ આ દૃશ્ય આકારે કલ્પી લીધેલું છે.
એ નિરાકાર ચિત્ત પણ ઉપર કહ્યા મુજબ,પ્રથમથી જ નહિ થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભ-કાળમાં પણ તેનું કોઈ કારણ નહિ હોવાથી,
સર્વદા એ ઉત્પન્ન થયેલું જ નથી.લોક,શાસ્ત્ર અને અનુભવથી વિચાર કરતા,દૃશ્ય-વસ્તુ(જગત)નું અનાદિ-પણું,જન્મ-આદિ વિકાર-પણું,કે નિત્ય-પણું ઘટતું જ નથી.

Apr 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-796

(૯૮) ચિત્તસત્તાનો નિરાસ (અસંભવતા)

શિખીધ્વજ કહે છે કે-ચિત્ત,છે જ નહિ,એવો બોધ,સહેલી રીતે થઇ જાય તેવી કોઈ બીજી યુક્તિ વિષે કહો,અથવા પ્રથમ કહેલી યુક્તિને સ્પષ્ટ રીતે કહી બતાવો,કેમ કે હજી હું સારી રીતે તે સમજ્યો નથી.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,કોઈ દેશ-કાળ કે વસ્તુ-રૂપે અજ્ઞાનથી જે ભાસે છે તે ચિત્ત,
જ્ઞાનથી જોતાં છે જ નહિ,જે કંઈ ચિત્ત-રૂપે ભાસે છે,તે એક સત્ય બ્રહ્મ-સ્વરૂપ જ છે.
તો પછી હું,તમે,તે -વગેરે ચિત્તે કલ્પેલી કલ્પના ક્યાંથી હોય?
ભ્રમ વડે,જે કંઈ આ જગત દેખાય છે,તે બધું એક-બ્રહ્મરૂપ છે અને  દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-પણ બ્રહ્મરૂપ છે,તો પછી તે -બ્રહ્મ,કોનાથી જણાય? અને શી રીતે જણાય?