Apr 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-798

આ પ્રમાણે,આ સઘળું જે કંઈ છે-તે શાંત બ્રહ્મ-રૂપ છે,અને અહંકાર જગત આદિ -નામરૂપનું સ્વરૂપ તો આકાશની જેમ શૂન્ય છે.
જે સર્વ સંસારના નામે દેખાય છે-તે આદિ-મધ્ય-અંત રહિત,
એવું "ચૈતન્ય-આકાશ" જ (માયાના સંબંધ વડે) ચમત્કાર-વાળું થઈને,પોતાના ચકમકાટથી દીપી રહ્યું છે.

જેમ,સોનાના દાગીનાઓમાં,તેના આકારની દ્રષ્ટિ મટી જતાં,તે સઘળું સોના-રૂપ જ દેખાય છે,
તેમ,જગત-આદિ પદાર્થોમાં,તેના નામરૂપની દ્રષ્ટિ મટી જતાં,આ સઘળું બ્રહ્મ-રૂપ જ દેખાય છે.
"હું છું" એવો સંકલ્પ જ માત્ર અનેક અનર્થો ઉત્પન્ન કરનારા બંધનમાં નાખે છે,અને "હું નથી" એવો સંકલ્પ નિર્મળ સુખ-રૂપ મોક્ષ આપનાર છે.

Apr 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-797

અજ્ઞાની પુરુષોએ,પોતાના ચિત્તને જ આ દૃશ્ય આકારે કલ્પી લીધેલું છે.
એ નિરાકાર ચિત્ત પણ ઉપર કહ્યા મુજબ,પ્રથમથી જ નહિ થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભ-કાળમાં પણ તેનું કોઈ કારણ નહિ હોવાથી,
સર્વદા એ ઉત્પન્ન થયેલું જ નથી.લોક,શાસ્ત્ર અને અનુભવથી વિચાર કરતા,દૃશ્ય-વસ્તુ(જગત)નું અનાદિ-પણું,જન્મ-આદિ વિકાર-પણું,કે નિત્ય-પણું ઘટતું જ નથી.