આ પ્રમાણે,આ સઘળું જે કંઈ છે-તે શાંત બ્રહ્મ-રૂપ છે,અને અહંકાર જગત આદિ -નામરૂપનું સ્વરૂપ તો આકાશની જેમ શૂન્ય છે.
જે સર્વ સંસારના નામે દેખાય છે-તે આદિ-મધ્ય-અંત રહિત,
જે સર્વ સંસારના નામે દેખાય છે-તે આદિ-મધ્ય-અંત રહિત,
એવું "ચૈતન્ય-આકાશ" જ (માયાના સંબંધ વડે) ચમત્કાર-વાળું થઈને,પોતાના ચકમકાટથી દીપી રહ્યું છે.
જેમ,સોનાના દાગીનાઓમાં,તેના આકારની દ્રષ્ટિ મટી જતાં,તે સઘળું સોના-રૂપ જ દેખાય છે,
તેમ,જગત-આદિ પદાર્થોમાં,તેના નામરૂપની દ્રષ્ટિ મટી જતાં,આ સઘળું બ્રહ્મ-રૂપ જ દેખાય છે.
"હું છું" એવો સંકલ્પ જ માત્ર અનેક અનર્થો ઉત્પન્ન કરનારા બંધનમાં નાખે છે,અને "હું નથી" એવો સંકલ્પ નિર્મળ સુખ-રૂપ મોક્ષ આપનાર છે.