Apr 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-802

કુંભમુનિ કહે છે કે-જેમ શુદ્ધ-સફેદ વસ્ત્રમાં,કંકુ-વાળા-જળનાં બિંદુઓનો રંગ બરાબર લાગી જાય છે,તેમ,જયારે,ચિત્ત,ભોગ-વાસનાઓને છોડીને,શાંત થઈને રહે,ત્યારે જ તે (શુદ્ધ) ચિત્તમાં,ઉપદેશ બરાબર લાગે છે.
અનંત યોનિઓમાં ભટકવાથી,અનેક શરીરો વડે,મેલો થયેલો,
તમારો,અનંત વાસના-રૂપી મેલ,આજે પાકી ગયો છે.
જેમ વૃક્ષ પરથી પાકી ગયેલાં ફળો,વૃક્ષથી છૂટાં પડે છે,અને જમીન પર પડી જાય છે,તેમ,કાળે કરીને પાકી જતાં રાગ-આદિ-વાસના-રૂપ મેલો (પાપો)
લિંગ-દેહથી છૂટાં પડે છે.(નાશ પામે છે)

Apr 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-801

હે શિખીધ્વજ રાજા,જેમ અગ્નિમાં જવાળાઓ, પવન વડે ઉત્પન્ન થાય છે,
તેમ ચિત્ત આદિ કે જે સંકલ્પથી ઉત્પન્ન થાય છે અને સંકલ્પનો નાશ થવાથી નાશ પામી જાય છે.
એ રીતે એક આત્મ-તત્વથી ભરપૂર સર્વત્ર પ્રસરી ગયેલી બ્રહ્મ-સત્તા વડે,સર્વ જગત ભરચક છે.
હું નથી,તમે નથી કે બીજા કોઈ પણ નથી,આ દૃશ્ય પદાર્થો પણ નથી,ચિત્ત પણ નથી અને આકાશ પણ નથી,
એક ફક્ત નિર્મળ આત્મા જ છે.એ જ આત્મા (જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં)
જુદાજુદા પદાર્થો રૂપે દેખાય છે,તો તેમાં દ્રષ્ટા-દર્શન-દ્રશ્યની ત્રિપુટીની ખોટી કલ્પના ક્યાંથી હોય?