ત્યાર પછી,ધીરે ધીરે કેટલાક માસ પસાર થતાં,કુંભમુનિ-રૂપે આવેલી ચૂડાલાએ વિચાર કર્યો કે-"હવે વધુ મનોહર ભોગોના ભાર વડે,શિખીધ્વજરાજાની પરીક્ષા કરું,કે જેમાં,જો, રાજાની અનાસક્તિ દૃઢ થઇ જશે,તો તેનું ચિત્ત ફરીવાર કોઈ દિવસ પણ,કોઈ પણ ભોગો પ્રત્યે આસક્તિવાળું થશે જ નહિ."
આવો વિચાર કરીને,ચૂડાલાએ માયા વડે,એ વન-ભૂમિમાં દેવતાઓ,અપ્સરાઓ સહિત ઇન્દ્રને,ત્યાં આવેલા દેખાડ્યા.સર્વ પરિવાર સહિત ઇન્દ્રને પોતાની સામે આવેલા જોઈ,શિખીધ્વજ રાજાએ તેમની યથા-વિધિ પૂજા કરી.અન કહ્યું કે-આપે દૂરથી (સ્વર્ગમાંથી) અહીં પધારવાનો શ્રમ શા માટે લીધો? તે આપની ઈચ્છા હોય તો કહો.