કોઈનો આશ્રય લીધા વિના જ પોતાના સંકલ્પ-માત્રથી (મનથી)આ જગત-રૂપી ચિત્ર બનાવી દીધું છે.
માટે એ માનસિક કાર્યમાં મનથી જુદો કોઈ કર્તા પણ નથી અને મનથી બીજું કોઈ કાર્ય પણ નથી.
સર્વ મનોમય જ છે,અને તે જ્યાંજ્યાં જેવોજેવો વિસ્તાર કરે છે,ત્યાંત્યાં તે વસ્તુરૂપે આખરે તે પોતે જ થઈને રહે છે.
આ રીતે દૃશ્યનો અભાવ હોવાથી,જે કંઈ દૃશ્ય-રૂપે જોવામાં આવે છે,તે સૌ અસત્ય જ છે.
તેને લીધે કર્તા-કાર્ય-એવું કશું નથી અને સર્વ કંઈ મનનો વિલાસ માત્ર છે.