Sep 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-919

હિરણ્યગર્ભનું "મન",જ -આ જગતને નિર્માણ કરનારું છે.તેણે કોઈ સાધન-સામગ્રી વિના કે
કોઈનો આશ્રય લીધા વિના જ પોતાના સંકલ્પ-માત્રથી (મનથી)આ જગત-રૂપી ચિત્ર બનાવી દીધું છે.
માટે એ માનસિક કાર્યમાં મનથી જુદો કોઈ કર્તા  પણ નથી અને મનથી બીજું  કોઈ કાર્ય  પણ નથી.
સર્વ મનોમય જ છે,અને તે જ્યાંજ્યાં જેવોજેવો વિસ્તાર કરે છે,ત્યાંત્યાં તે વસ્તુરૂપે આખરે તે પોતે જ થઈને રહે છે.
આ રીતે દૃશ્યનો અભાવ હોવાથી,જે કંઈ દૃશ્ય-રૂપે જોવામાં આવે છે,તે સૌ અસત્ય જ છે.
તેને લીધે કર્તા-કાર્ય-એવું કશું નથી અને સર્વ કંઈ મનનો વિલાસ માત્ર છે.

Sep 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-918

જેમ,નેત્રનું ખુલવું,એ રૂપનો પ્રકાશ કરવા માત્ર જ છે (એટલે કે નેત્રના ખુલવાથી પદાર્થનું રૂપ દેખાય છે)
તેમ,અહંકાર સહિત,આ જગત પણ,સાક્ષી-ચૈતન્યના બહાર આવી ફેલાવાથી જ પ્રકાશમાં આવે છે (દેખાય છે)
જેમ નેત્ર બંધ થતાં,રૂપ (પદાર્થ) દેખાવું બંધ થાય છે,
તેમ, વૃત્તિઓ દ્વારા બહિર્મુખ થઇ ગયેલા સાક્ષી-ચૈતન્યને અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપમાં સ્થાપવાથી,
સર્વ દ્રશ્ય-વર્ગ (જગત અને જગતના પદાર્થો) દેખાવા બંધ થાય છે.

Sep 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-917

વાસનાઓ અને અભિમાનો -વડે વીંટાઈ રહેલા,અને અનેક દુષ્ટ વિકારો વડે ખેંચાઈ જઈ,
આમતેમ દોડ્યા કરતા અવિવેકી પુરુષો,પર્વત પરથી નીચે પડતી શિલાઓ ની જેમ નીચે પડતા જાય છે.
વાસના-રૂપી વાયુથી ખેંચાતા મનુષ્ય-રૂપ-તૃણોને,એવાં એવાં તો (જન્મ-મરણ-આદિ) દુઃખી પ્રાપ્ત થાય છે કે
તેના વિષે બોલવા જઈએ તો તેનો પાર પણ ના આવે.