તેનું પણ બીજ ચિદાત્માનું સ્ફુરણ જ છે,પણ, એ ચૈતન્યના સ્ફુરણનું બીજું કશું જુદું બીજ નથી.
જેમ અગ્નિનો અને ગરમીનો ભેદ નથી,તેમ બીજ અને અંકુરનો વસ્તુતઃ ભેદ નથી.
બીજ છે તે જ (બીજની અંદર સુક્ષ્મ-રૂપે અંકુર રહેલો હોવાથી) અંકુર-રૂપ છે તેમ તમે સમજો.
તેજ રીતે,પુરુષને પણ (કર્મ જ જન્મ આપનાર હોવાથી) કર્મ-રૂપ જ તમારે જાણવો જોઈએ.