Nov 18, 2017

Pranav-ॐ-As per Yoga-Sutra-પ્રણવ-ॐ-યોગસૂત્ર મુજબ

  • तस्य वाचकः प्रणवः (પતંજલિ યોગસૂત્ર-૨૭)

તે (ઈશ્વર) નો બોધક (ઓળખાવનાર શબ્દ)  છે -"પ્રણવ" એટલે કે-ॐ

મન જે "વિચાર" કરે છે,તે "વિચાર" પહેલાં (તેના ઉતરાર્ધ-રૂપે) એક "શબ્દ" હોય છે.
શબ્દ અને વિચારને,કોઈ મનુષ્ય,કોઈ પણ પૃથ્થકરણ દ્વારા છૂટા પાડી શકે નહિ.
કારણકે,એક જ વસ્તુના બાહ્ય ભાગને જો "શબ્દ" કહીએ તો અંદરનો ભાગ "વિચાર" છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-984

વસિષ્ઠ કહે છે કે-આ જગત-રૂપી-સ્વપ્નની ભ્રાંતિને અંતે,દૈવ-યોગથી જો એ જીવો તત્વજ્ઞાનને પ્રાપ્ત થઇ ગયા હોય,તો તેઓ મોક્ષને પામી જાય છે,અથવા તો સ્વપ્નમાંથી જાગી ગયા પછી,પણ મનથી સંકલ્પ કરે તો-તે સંકલ્પ મુજબ  બીજા દેહોને ધારણ કરી લે છે અને મનથી જ બીજા જગતના કે અતીતના કલ્પને પણ દેખે છે.આમ આ સ્વપ્ન-જાગર નામનો જીવનો ભેદ મેં તમને કહ્યો.હવે સંકલ્પ-જાગરના ભેદ વિષે કહું છું-તે સાંભળો.

Nov 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-983

"સર્વ સંપત્તિઓ આપત્તિ-રૂપ છે" એવી ભાવનાને લીધે,જેને સર્વ પદાર્થો પર તૃષ્ણા રહી નથી
તેનો "જ્ઞાન-રૂપી-અગ્નિ" એ (ત્યાગ-રૂપી-જવાળાઓથી)  મન-રૂપી-ઘાસને બાળી નાખે છે,
અને જેથી "બહારના અને અંદરના સર્વ પદાર્થો આત્મ-સ્વરૂપથી જુદા નથી" એમ તે જાણે છે.વળી,તે ચિદાત્મા જ દેવ,અસુર,નર,ઘર,પર્વત,ગુફાઓ,નદીઓ,જંગલો વગેરે રૂપે થઇ રહેલ છે.એમ પણ તે જાણે છે.