વસિષ્ઠ કહે છે કે-જે ચિદ-શક્તિનું મેં વર્ણન કર્યું,તે પોતાના સત્ય-સંકલ્પ વડે જે જે કલ્પના કરે છે,તે તે સર્વ,
સત્યની પેઠે તેના અનુભવમાં આવે છે.આથી એ કલ્પનામય વસ્તુ જાણે સત્ય હોય તેવો આભાસ થાય છે.
જેમ મુખનું પ્રતિબિંબ અરીસામાં પડે છે,તેમ,જીવ-ચૈતન્યને જે કંઈ અનુભવમાં આવે છે,તે પૂર્વજન્મનો અનુભવ
વાસના અનુસાર,તેની અંદર પ્રતિબિમ્બિત થઇ રહ્યું હોય છે.આથી તે પોતાની અંદર જ આભાસ-રૂપે રહેલ છે.
અને તે પોતાને (જીવ-ચૈતન્યને) કાર્ય કરી આપનાર હોવાથી,તેની દૃષ્ટિમાં સત્ય જ ભાસે છે.
તેમ છતાં (વસ્તુતઃ) ચિદાત્માની અંદર તેનો (ચિદશક્તિનો) પ્રવેશ થવો અસંભવિત છે તેથી તે મિથ્યા જ ઠરે છે.